સાધ્વી કહે- મુસ્લિમ મહિલાઓને વધુ બાળકો પેદા કરતા બચવું હોય તો હિન્દુઓ સાથે...

મોટા ભાગે ચર્ચાઓમાં રહેનારા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખત તેમણે મુસ્લિમ યુવતીઓને લઈને નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ યુવતીઓને ઓફર આપતા કહ્યું કે, જો તેઓ 3 તલાક અને હલાલાથી બચવા માગે છે તો હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરી લે. આ દરમિયાન તેમણે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાંઈ બાબા ભગવાન નથી, વાળા નિવેદનનું પણ સમર્થન કર્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચી ગુરુવારે બરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો મુસ્લિમ યુવતીઓ ત્રણ તલાક અને હલાલા જેવી કુરીતિઓથી બચવા માગે છે તો હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરી લે. તો બુરખો પહેરવાને લઈને પણ સાધ્વી પ્રાચીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભીષણ ગરમીમાં જ્યારે તાપમાન 45 થી 50 ડિગ્રી થઈ જાય છે. આપણે લોકો ACમાં પણ સારી રીતે બેસી શકતા નથી. એવામાં મુસ્લિમ યુવતીઓ કેવી રીતે કાળા બુરખામાં રહેતી હશે. તેમની પીડા આપણે સમજી શકીએ છીએ.

તેમણે આગળ કહ્યું કે, હિન્દુ ધર્મમાં એવો કોઈ પ્રતિબંધ નથી. હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરવા પર તેમને  બુરખાથી આઝાદી મળશે. તેમણે વધુ બાળકોને જન્મ પણ નહીં આપવો પડે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર પ્રહાર પણ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે, એ મંદ બુદ્ધિના છોકરાને શું કહું. કોંગ્રેસે જ એવા વકીલોને ઊભા કરી દીધા છે, જેમણે રાહુલ ગાંધીને આજે આ પરિસ્થિતિમાં પહોંચાડી દીધા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ બાગેશ્વર ધામણ પીઠાધિશવર ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યું.

તેમણે કહ્યું કે, સાઈ બાબા ભગવાન કેવી રીતે હોય શકે છે. તેઓ એક ફકીર હોય શકે છે, સંન્યાસી હોય શકે છે, પરંતુ ભગવાન નહીં. એ વાત પર હું બાગેશ્વર બાબાનું સંપૂર્ણ સમર્થન કરું છું. તેમણે જે કહ્યું કે સાચું કહ્યું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નહીં બની શકે. સાઈ બાબા સંત અને ફકીર હોય શકે છે, પરંતુ ભગવાન નહીં. આપણાં ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે. તેમણે સાંઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રધાનમંત્રી છે એટલે દરેક સનાતની તેમની વાત માનવી જરૂરી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.