સાધ્વી પ્રાચી કહે-બાગેશ્વર ધામ તો એક બહાનું છે, ચાદર અને ફાધરનું લક્ષ્ય..

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઇને નાગપુરથી શરૂ થયેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ તેમના સમર્થનમાં તમામ લોકો ઉતરી આવ્યા છે, તો તેમને ઢોંગી અમે અંધવિશ્વાસ ફેલાવનારા પણ કહેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પોતાના નિવેદનોને લઇને મોટા ભાગે ચર્ચામાં રહેનારા સાધ્વી પ્રાચીએ કહ્યું છે કે, ‘બાબા ચાદર અને ફાધરથી નહીં ડરે.’ મીડિયા સાથે વાત કરતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે, બાગેશ્વર ધામ તો એક બહાનું છે, ચાદર અને ફાધરનું હિન્દુત્વ માટે કામ કરનારાઓને મટાડવાનું તેમનું લક્ષ્ય છે.

તેમણે આગળ કહ્યું કે, બાગેશ્વર ધામ ખૂબ સારું કામ કરી રહ્યા છે. મેં ઘણા દિવસ અગાઉ તેમનું સમર્થન કર્યું હતું, આગળ પણ કરતી રહીશ કેમ કે તે સનતનનું કરોડરજ્જુ છે. એક યુઝરે લખ્યું કે, તમે લોકો એક સમયે આસારામ, રામ રહીમનું પણ સમર્થન કરતા હતા. પંકજ ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, ‘પાખંડી અંધવિશ્વાસના ચક્કરમાં પડીને પોતાના પૈસા અને સમય વેસ્ટ ન કરતા. એ પૈસાઓથી બાળકોને ભણાવજો-ગણવાજો. કોઇ બાબા કોઇનું ભવિષ્ય બતાવી શકે છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, ધર્મ એક એવું છળ છે જેના દ્વારા લોકોને લાખો વર્ષો સુધી મૂર્ખ બનાવીને રાખી શકાય છે. એક યુઝરે લખ્યું કે, જાણતા-અજાણતામાં જ, પરંતુ આભાર એ સંસ્થાનો પણ થવો જોઇએ જેણે બાબાની ખ્યાતિ હજુ વધારી દીધી. વરુણ નામના યુઝરે લખ્યું કે, આશારામનું સમર્થન પણ કરતા હતા, તમે રામ રહીમનું પણ કરતા હતા અને હવે બાગેશ્વર બાબાનું પણ સમર્થન કરો છે. સોની નિહાલ નામના યુઝરે લખ્યું કે, બાગેશ્વર ધામને જે નહોતા જાણતા તેઓ પણ જાણી ગયા, ન માત્ર જાણી ગયા, ખૂલીને સમર્થનમાં આવી ગયા. વિરોધીઓનો આભાર માનવો જોઇએ.

નાગપુરની સંસ્થાએ બાગેશ્વર ધામની આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવીને પડકાર આપ્યો હતો. ત્યારબાદ વિવાદ ઊભો થયો. નાગપુર વિષય પર વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે ક્યારેય બીજા ધર્મના લોકો પર સવાલ કેમ નથી ઉઠાવ્યા. અમારા હનુમાનજી પ્રત્યે અંગત શ્રદ્ધા છે. અમારે વધારે સફાઇ આપવાની નથી, અમે ધર્માંતરણ રોકીશું, અમે ઘર વાપસી કરાવીશું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.