સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે, રામ મંદિર રાષ્ટ્રીય મંદિર છે: CM આદિત્યનાથ

UPના CM યોગી આદિત્યનાથના નિવેદનથી ભારે વિવાદ થયો હતો. CM યોગીએ કહ્યું છે કે, આપણો સનાતન ધર્મ એ ભારતનો 'રાષ્ટ્રીય ધર્મ' છે. આ સિવાય તેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ‘રાષ્ટ્રીય મંદિર’ ગણાવ્યું છે.

CM યોગી આદિત્યનાથ 27 જાન્યુઆરીએ રાજસ્થાનના જાલોરમાં હતા. ત્યાં તેમણે નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં પહોંચેલા લોકોને સંબોધિત કર્યા હતા. દરમિયાન CM યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 'આજે આ ધાર્મિક કાર્યક્રમમાં જે પ્રકારની એકતા જોવા મળી રહી છે. ના કોઈ જાતિ, ના કોઈ ભેદ, ના કોઈ ધર્મ, આપણે બધાએ આ ભાવનાને રોજિંદા જીવનમાં પણ સ્વીકારવી પડશે.'

CM યોગી આદિત્યનાથના કહેવા પ્રમાણે, 'આપણો સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. આપણે બધા આપણા અંગત હિતોથી ઉપર ઊઠીને આ રાષ્ટ્રીય ધર્મમાં જોડાઈએ. આપણો દેશ સુરક્ષિત રહે, આપણા ગાય બ્રાહ્મણોનું રક્ષણ થાય. કોઈ કાળક્રમે જો આપણા પવિત્ર ધર્મ સ્થળોને અપવિત્ર કરવામાં આવ્યા હોય તો, તેમની પુનઃસ્થાપન માટેની ઝુંબેશ આગળ વધવા દો. આ અભિયાન હેઠળ તમે જોયું હશે કે, 500 વર્ષ પછી PM મોદીના પ્રયાસોથી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે.'

CM યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, ભારતની ભાવનાઓ અનુસાર આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના ભવ્ય મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. CM યોગી આદિત્યનાથે કહ્યું કે, તે ભવ્ય મંદિરનું નિર્માણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 1400 વર્ષ પછી નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર એ વિરાસતની જાળવણીનું ઉત્તમ ઉદાહરણ છે.

જાલોરમાં નીલકંઠ મંદિરના જીર્ણોદ્ધારનો ઉત્સવ 11 દિવસથી ચાલે છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. શેખાવત અને CM આદિત્યનાથે આ કાર્યક્રમમાં રૂદ્રાક્ષનું છોડ પણ રોપ્યું હતું.

CM આદિત્યનાથે કહ્યું, 'ધર્મના વાસ્તવિક સારને સમજવા માટે રાજસ્થાનની મુલાકાત લેવી જરૂરી છે.'

CM યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે 'શેખાવતે લખનઉમાં તેમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું. તેથી, હું તેમનું આમંત્રણ નકારી શક્યો નહીં.' ભાષણ દરમિયાન CM યોગી આદિત્યનાથે ભારતમાં બ્રાહ્મણો અને ગાયોના રક્ષણ માટે પણ આહ્વાન કર્યું હતું.

CM યોગી આદિત્યનાથના નિવેદન પર કોંગ્રેસના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટર પર લખ્યું કે, 'પહેલા જણાવો કે સનાતન ધર્મમાં મહિલાઓ, દલિતો અને પછાત લોકોનું સ્થાન ક્યાં છે, પછી આગળ વાત કરીએ.' તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, 'આપણો સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે: CM યોગીએ કહ્યું, અર્થાત શીખ, જૈન, બૌદ્ધ, નિરંકાર, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મ સમાપ્ત થઈ ગયા.'

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની હોવાથી, એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં તેના પ્રચાર માટે પહેલેથી જ સૂર સેટ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.