એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ડેન્ગ્યુ-મલેરિયા સાથે કરી સનાતન ધર્મની તુલના

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને શનિવારે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરીને વિવાદ ઊભો કરી દીધો છે. ઉદયનિધિએ કહ્યું કે, તેનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ સફાયો કરવો જોઇએ. સનાતન ઉન્મૂલન સંમેલનમાં બોલતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુનો વિરોધ નહીં કરી શકાય. તેને જ ખતમ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મલેરિયા કે કોરોનાના વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને ખતમ કરવા હશે. આ પ્રકારે આપણે સનાતન ધર્મને સમાપ્ત કરવો પડશે.

તામિલનાડુના સત્તાધારી DMK સરકારમાં યુવા કલ્યાણ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતનનો વિરોધ કરવાની જગ્યાએ તેનો નાશ કરવો જોઈએ. સનાતન નામ સંસ્કૃતથી છે. તે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) IT સેલના પ્રમુખ અમિત માલવીયએ સનાતન ધર્મ પર ટિપ્પણી માટે ઉદયનિધિ સ્ટાલિન પર પ્રહાર કર્યો. અમિત માલવીયએ X (પહેલા ટ્વીટર) પર લખ્યું કે, ‘તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મલેરિયા અને ડેન્ગ્યૂ સાથે જોડ્યો છે.

તેમનું માનવું છે કે તેને ખતમ કરવો જોઈએ અને માત્ર તેનો વિરોધ ન કરવો જોઈએ. સંક્ષેપમાં તે સનાતન ધર્મનું પાલન કરનારી ભારતની 80 ટકા વસ્તીના નરસંહાર માટે આહ્વાન કરી રહ્યા છે. દ્રુમક વિપક્ષી ગ્રુપના એક પ્રમુખ સભ્ય અને કોંગ્રેસના લાંબા સમયથી સહયોગી છે. શું મુંબઈ બેઠકમાં તેના પર સહમતી બની હતી?’ ભાજપ નેતા અમિત માલવીયને જવાબ આપતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘તેમણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓના નરસંહારનું આહ્વાન કર્યું નથી.

તેઓ પોતાના શબ્દો પર કાયમ છે અને તેમણે ભાર આપીને કહ્યું કે, તેઓ હાશિયા પર પડેલા સમુદાયો તરફથી બોલી રહ્યા છે જે સનાતન ધર્મના કારણે પીડિત છે. દ્રુમક નેતાએ કહ્યું કે, તે પોતાની ટિપ્પણીના સંબંધમાં કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશે. તેમણે કહ્યું કે, DMK સરકાર એમકે સ્ટાલિનના નેતૃત્વમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને સમતાવાદી સમાજની સ્થાપના માટે સંઘર્ષ કરશે.

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘હું કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર છું. અમે આ પ્રકારની સામાન્ય ભગવા ધમકીઓથી નહીં ડરીએ. અમે પેરિયાર, અન્ના અને કલેન્ગારના અનુયાયી પોતાના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના માર્ગદર્શનમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને એક સમતાવાદી સમાજની સ્થાપના માટે હંમેશાં લડતા રહીશું. હું તેને આજે, કાલે અને હંમેશાં કહીશ- દ્રવિડ ભૂમિથી સનાતન ધર્મને રોકવાનો અમારો સંકલ્પ રતીભાર પણ ઓછો નહીં થાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.