મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશના દુશ્મન માને છે RSS: CM પિનરાઈ વિજયન

કેરળના CM પિનરાઈ વિજયને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર મુસ્લિમો અને ખ્રિસ્તીઓને 'રાષ્ટ્રના દુશ્મન' ગણવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, તમામ લોકોએ આવા વિભાજનકારી કૃત્યો સામે એક થવું જોઈએ. જો કે BJPએ તેમના નિવેદનની નિંદા કરી છે. BJPના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આરોપ લગાવ્યો કે, વિજયન બંધારણને કોઈ મહત્વ આપતા નથી. તેમણે CM પર ઉગ્રવાદી અને આતંકવાદી જૂથો તરફથી 'ચોખવટ' કરવાનો આરોપ લગાવ્યો હતો.

CM પિનરાઈ વિજયને કહ્યું કે, બંધારણ, જે જાતિ ભેદભાવ અને ધાર્મિક દ્વેષ સામે લડવાનું શ્રેષ્ઠ શસ્ત્ર છે, તેના પર હાલમાં હુમલા થઇ રહ્યા છે. તેમણે આ આક્ષેપો સંવિધાન સંરક્ષણ સંમેલન અને ધર્મનિરપેક્ષ બેઠકનું ઉદ્ઘાટન કર્યા બાદ કર્યા હતા.

CM પિનરાઈ વિજયને કહ્યું કે, BJP અને RSSએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો ઉદ્દેશ્ય ભારતને 'હિંદુ રાષ્ટ્ર'માં રૂપાંતરિત કરવાનો છે. તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ એક રાજકીય જૂથનો અનુયાયી છે જેણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો ન હતો.

કેરળના CM પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે, બંધારણ પર હુમલા ઉપરાંત ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાને 'મૃત્યુ' તરીકે દર્શાવવાના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો. અને દાવો કર્યો કે, BR આંબેડકર બંધારણના ઘડવૈયાઓમાંના નથી.

આ સિવાય દેશના કેટલાક ભાગોમાં મુસ્લિમોને હિન્દુઓની વિરુદ્ધ કહેવામાં આવી રહ્યા છે. CM પિનરાઈ વિજયને દાવો કર્યો હતો કે, માત્ર ધાર્મિક લઘુમતીઓ જ નહીં પરંતુ દલિતો અને આદિવાસીઓ પણ જોખમમાં છે. દેશના જુદા જુદા ભાગોમાં તેમના પર હુમલાઓ થઈ રહ્યા છે. તેમનું શોષણ થઈ રહ્યું છે.

CM પિનરાઈ વિજયને કહ્યું કે, બંધારણ એ જાતિ ભેદભાવ અને ધાર્મિક દ્વેષ સામે લડવા માટેનું એક શ્રેષ્ઠ શસ્ત્ર હતું, અને તેથી તેના પર થતા હુમલાઓ વિરુદ્ધ તેના દ્વારા સમર્થન પામેલા મૂલ્યોનું રક્ષણ થવું જોઈએ. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, બંધારણને ફક્ત તે લોકોથી જ ખતરો છે જેઓ તેનું રક્ષણ કરવા માટે બંધાયેલા છે.

તેમણે કહ્યું કે, તેઓ આપણા દેશ અને તેના લોકતંત્ર અને બંધારણના મૂળ પર હુમલો કરી રહ્યા છે. જો બંધારણનો નાશ થશે તો, વ્યક્તિની ગરિમાથી લઈને દેશની સાર્વભૌમત્વ સુધી બધું જાતે જ નષ્ટ થઈ જશે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.