સંજય રાઉત સાપ છે, ઉદ્ધવ ઠાકરેને દગો આપીને NCPમાં જોડાશે, BJP MLAનો દાવો

BJPના ધારાસભ્ય નિતેશ રાણેએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ગ્રુપ)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને લઈને મોટો દાવો કર્યો છે. સંજય રાઉતને સાપ ગણાવતા BJP ધારાસભ્ય નિતેશ રાણેએ એવો દાવો કર્યો હતો કે, સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને દગો આપશે અને 10 જૂને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ જશે.

પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતા BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ થવા જઈ રહી છે. તેમણે એવો દાવો કર્યો હતો કે, સંજય રાઉત 10 જૂને NCPમાં જોડાઈ જશે. નિતેશ રાણેએ વધુમાં દાવો કર્યો હતો કે, સંજય રાઉત NCPના અજિત પવારના વિરોધી છે અને જો અજિત પવાર પાર્ટી છોડશે તો સંજય રાઉત NCPમાં જોડાશે.

નિતેશ રાણેએ કહ્યું કે, મને મળેલી માહિતી મુજબ, સંજય રાઉત શરદ પવારને ફોલો કરી રહ્યા છે, કારણ કે તેઓ જલ્દી જ NCPમાં જોડાવા જઈ રહ્યા છે અને તેથી ઉતાવળમાં આમ કરી રહ્યા છે. સંજય રાઉતે હંમેશા અજિત પવારનો વિરોધ કર્યો છે. તેથી તેમની એક જ શરત છે કે, જો અજિત પવાર પાર્ટી છોડી દેશે તો તેઓ NCPમાં જોડાશે. BJPના નેતાએ આરોપ લગાવ્યો કે, સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને રાજકીય રીતે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નિતેશ રાણેએ કહ્યું, સંજય રાઉત ભવિષ્યમાં NCPના મંચ પર જોવા મળશે. જ્યારે શરદ પવારે રાજીનામું આપ્યું ત્યારે તમામ વિપક્ષી નેતાઓએ શરદ પવારને રાજીનામું ન આપવા કહ્યું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ફોન કર્યો હોય કે પૂછ્યું હોય કે તેમણે રાજીનામું આપવું જોઈએ નહીં, તેવું મેં ક્યાંય વાંચ્યું કે જોયું નથી.  તેથી જ સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને રાજકીય રીતે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું માત્ર ઉદ્ધવ ઠાકરેને એટલું જ કહેવા માંગુ છું કે સંજય રાઉત એક સાપ છે.

દરમિયાન, નિતેશ રાણેના દાવા પર પ્રતિક્રિયા આપતા, આદિત્ય ઠાકરેએ કહ્યું કે, BJP નેતાને આવા નિવેદનો કરવા માટે પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. આ પહેલા બુધવારે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે NCPના વડા તરીકે શરદ પવારના રાજીનામાને દેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી ઘટના ગણાવી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.