મહાગઠબંધનની બેઠક પહેલા નિતિશ કેબિનેટમાંથી આ મંત્રીના રાજીનામાથી ખળભળાટ

બિહારમાંJDUઅને RJD મહાગઠબંધનની બેઠક પહેલાં જ મોટો ટેબલો પડી ગયો છે. સાથી પક્ષના એક કેબિનેટ મંત્રીએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

બિહારમાં મહાગઠબંધનની બેઠક પહેલા નીતીશ કેબિનેટમાંથી સંતોષ માંઝીના રાજીનામાથી રાજકીય ખળભળાટ મી ગયો છે.રાજીનામાને લઈને સંતોષ માંઝીનું મોટું નિવેદન સામે આવ્યું છે.સંતોષ માંઝી એ બહારના પૂર્વ મુખ્યમંત્રી અને  દિગ્ગજ નેતા જીતન માંઝીના પુત્ર છે. તેમના રાજીનામા પછી તેમના ભાજપમાં જોડાવવાની અટકળોએ વેગ પકડ્યો છે.

નિતિશ કેબિનેટમાંથી રાજીનામું આપ્યા પછી સંતોષ માંઝીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે મેં મારું રાજીનામું મુખ્યમંત્રી નિતિશ કુમારને મોકલી આપ્યું છે. તેમણે કહ્યું કે મારા રાજીનામાનું એક જ કારણ છે. અમારી પાસે અમારી પાર્ટી હિંદુસ્તાન આવામ મોર્ચાના વિલીનીકરણનો પ્રસ્તાવ હતો. અમે અમારા કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને બધા સાથે વાત કરી, બધાએ મર્જર માટે ના પાડી દીધી હતી. વિલીનીકરણનો પ્રસ્તાવ  JDU તરફથી આવ્યો હતો. માંઝીએ કહ્યુ કે અમે JDUની ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ અમારો પક્ષ પણ કેટલાક મુદ્દાઓ પર રચાયો છે, તેથી વધુ સારું હતું કે અમે સંઘર્ષનો માર્ગ પસંદ કરીએ, તેથી અમે વિલીનીકરણ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

NDAમાં જવા પર સંતોષ માંઝીને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, હું એકલો પણ ચૂંટણી લડી શકું છું. ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમારી પાર્ટીએ પોતાને મહાગઠબંધનથી અલગ કરી દીધી છે. અમે તો રહેવા માંગતા હતા, પરંતુ મોટી પાર્ટીઓ અમને રાખવા માંગતી નથી. અમારી પાર્ટીનું અસ્તિતત્વ ખતમ કરવા માંગતા હતા.

સંતોષ માંઝીએ કહ્યું કે,નિતિશ કુમાર સાથે અમારી છેલ્લી મુલાકાત પહેલા જ આ ઓફર કરવામાં આવી હતી. સંતોષ માંઝીએ કહ્યું કે એક વખત રાજીનામું આપી દીધું પછી તેને પાછું લેવાનો સવાલ જ ઉભો થતો નથી.

બિહાર સરકારમાં અનુસૂચિત જાતિ- જનજાતિ કલ્યાણ મંત્રી ડો. સંતોષ કુમાર સુમન ( માંઝી)એ મંત્રી પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સીનિયર નેતા જીતેન માંઝીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. સાથે વિપક્ષી દળોની બેઠકમાં આમંત્રણ નહીં મળવા પર નારાજગી વ્યકત કરી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.