...તો ના કોઈ કોર્ટ રહેશે, ના સેના રહેશે, પૂર્વ ગવર્નરે આવું કેમ કહ્યું

જમ્મુ-કશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જો આગામી ચૂંટણી સુધી જનતાએ તેમની વિરુદ્ધ મતદાન ન કર્યું તો એ તમને મતદાન કરવા લાયક નહીં છોડે. તેઓ કહી દેશે કે અમે જ ચૂંટણી જીતીએ છીએ તો ચૂંટણી કરાવવાની શું જરૂરિયાત છે. ન કોર્ટ રહેશે, ન સેના રહેશે અને ન કોઈ સિસ્ટમ રહેશે, જેનાથી કંટ્રોલ કરી શકાય. આ લોકો મને ગદ્દાર કહેવા માગે છે. મેં ઈમાનદારીથી કામ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં મને 300 કરોડ રૂપિયાની ઓફર મળી હતી, જેને ફગાવી દીધી.

સત્યપાલ મલિકે કહ્યું કે, હવે મને ફસાવી શકતા નથી, એટલે મારી નીચે જે અધિકારી રહ્યા હતા, તેમની વિરુદ્ધ ED અને CBI લગાવી દીધી છે. તેમનું ઉદ્દેશ્ય છે કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચીને મને જેલ મોકલવાનું છે. ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક અલવર જિલ્લાના બાનસૂર પ્રવાસે પહોંચ્યા હતા. અહીં બાનસૂરના ફતેહપુર ગામમાં રામ દરબાર મૂર્તિની સ્થાપનાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોએ 21 કિલોગ્રામની માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમને સંબોધિત કરતા પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અદાણી તેમનો સાથી છે, જેણે 3 વર્ષમાં એટલી સંપત્તિ બનાવી લીધી છે કે દેશનો સૌથી મોટો ઈમાનદાર થઈ ગયો. સંસદમાં જ્યારે રાહુલ ગાંધીએ 20 હજાર કરોડ રૂપિયા બાબતે પૂછ્યું તો વડાપ્રધાન બતાવી ન શક્યા. વડાપ્રધાન પોતાની નાક નીચે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકોને સંબોધિત કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, આ વખત તમે તેમના રાજને પલટી શકો છો. પુલવામામાં આપણાં 40 સૈનિક શહીદ થયા હતા. ત્યારે હું કાશ્મીરનો રાજ્યપાલ હતો.

જ્યારે CRPFના જવાનોની મૂવમેન્ટ થતી હતી, તો તેઓ અમને ખબર ન આપીને ગૃહ મંત્રાલયને ખબર આપતા હતા. પુલવામાં હુમલાની તપાસ ન થઈ. જો તપાસ થતી તો ગૃહ મંત્રીનું રાજીનામું હોત અને ઘણા અધિકારી જેલમાં હોત. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. સત્યપાલ મલિકે કહ્યું કે, વડાપ્રધાન જિમ કાર્બેટ ઉદ્યાનમાં પોતાની શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે તેઓ ત્યાંથી બહાર આવ્યા તો મને ફોન આવ્યો, મેં તેમને કહ્યું કે, આપણાં સૈનિકો માર્યા ગયા છે અને તેઓ આપણી ભૂલથી માર્યા ગયા છે એટલે મને ચૂપ રહેવા કહ્યું અને આ વિષય પર વાત ન કરવા કહ્યું.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.