સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી, ઑક્સિજન સપોર્ટ પર AAP નેતા

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા બાદ પડી ગયા હતા. તેમને DDU હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેની તબિયત બગડી છે અને તેમને અત્યારે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને દિલ્હીની LNJP હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સત્યેન્દ્ર જૈનને બીજી વખત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ અગાઉ પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુના હાડકાંમાં ગંભીર ઇજા થઈ હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

તિહાડ જેલ પ્રશાસન મુજબ, ગુરુવારે સવારે 6:00 વાગ્યાની આસપાસની આ ઘટના છે. સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા. ડૉક્ટરોએ સત્યેન્દ્ર જૈનની તપાસ કરી છે અને કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સામાન્ય છે. હાલમાં તેમને DDU મોકલવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈને પીઠ, પગ અને ખભા પર દુઃખાવાની ફરિયાદ કરી હતી. તિહાડ પ્રશાસન મુજબ, તેમની સર્જરી થવાની છે, તેના બધા પરીક્ષણ કરી લેવામાં આવશે. સ્પાઇનમાં તેમને પરેશાની થઈ રહી છે. આ અગાઉ પણ સોમવારે તેમને હૉસ્પિટલમાં સ્પાઇન પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા.

જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત 3 દિવસ અગાઉ બગડ્યા બાદ તેમને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ખૂબ પાતળા નજરે પડ્યા હતા. સત્યેન્દ્ર જૈનનું વજન લગભગ 35 કિલો ઓછું થયું છે. તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જઈને થોડા સમય અગાઉ ફરિયાદ કરી હતી કે તેઓ ઉદાસ અને એકલા અનુભવી રહ્યા છે. ત્યારબાદ તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે, તેઓ મનોવૈજ્ઞાનિકની મદદ લેશે.

સત્યેન્દ્ર જૈનની તબિયત બગડ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી છે. આ દરમિયાન તેમણે લખ્યું કે, જે વ્યક્તિ જનતાની સારી સારવાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, આજે એ ભલા વ્યક્તિને એક તાનાશાહ મારવા પર લાગ્યા છે એ તાનાશાહનો એક જ વિચાર છે. બધાને સમાપ્ત કરી દેવાની, તેઓ માત્ર હું હું માં જ જીવે છે. તેઓ માત્ર પોતાને જ જોવા માગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે. તેઓ બધા સાથે ન્યાય કરશે. ભગવાનને સત્યેન્દ્ર જૈનના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ વિપરીત પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.