SBIએ જણાવ્યું 2000ની નોટ બદલાવવા માટે ફોર્મ ભરવું કે ID દેખાડવી પડશે કે નહીં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. જો તમે 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ કરાવવા માટે 23 મેના રોજ બેંકમાં જવાના છો તો આ તમારા માટે જરૂરી સમાચાર છે. એવા સમાચાર મળી રહ્યા છે કે ID પ્રૂફ વિના જ 2000 રૂપિયાની નોટોને અન્ય કિંમતની નોટો સાથે એક્સચેન્જ કરાવી શકો છો. તેના માટે તમારે કોઈ ફોર્મ ભરવું નહીં પડે. દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના લેટરમાં આ બાબતે જાણકારી આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની નોટિફિકેશનમાં કહ્યું કે, 2000 રૂપિયાની નોટ બદલાવવા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાનું ID પ્રૂફ આપવું નહીં પડે અને ન તો કોઈ ફોર્મ ભરવાનું છે. 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ સરળતાથી એક વખતમાં એક્સચેન્જ કરાવી શકાશે. 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ હોય તે તેને અન્ય કિંમતની નોટોથી બદલાવી શકે છે. આ પ્રકારે બેંક અકાઉન્ટમાં પણ 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે કોઈ પણ વધારાનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી.

જો કે, જે પણ ડિપોઝિટને લઈને બેંકના નિયમ છે તેનું પાલન કરવું પડશે. જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, તેઓ બિઝનેસ કોરેસ્પોનડેન્ટ સેન્ટર જઈને પણ 2000 રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવી શકે છે, પરંતુ આ સેન્ટર પર માત્ર 4 હજાર રૂપિયા સુધીની જ 2000ની નોટ બદલી શકાય છે. બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ એક બેન્કની જેમ જ કામ કરે છે. તે ગ્રામીણ વિસ્તારના લોકોને બેંક અકાઉન્ટ ખોલવામાં મદદ લરે છે. તેઓ ટ્રાન્ઝેક્શન પણ કરે છે.

રિઝર્વ બેંકની આખા દેશમાં 31 જગ્યાઓ પર ક્ષેત્રીય કાર્યાલય છે, પરંતુ 2000 રૂપિયાની નોટ અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપૂરમમાં બદલી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકે સલાહ આપી છે કે, તેઓ તાત્કાલિક પ્રભાવથી 2000 રૂપિયાની નોટ આપવાનું બંધ કરી દે. એટલે કે બેંક હવે ગ્રાહકોને 2000 રૂપિયાની નોટ નહીં આપે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટને ‘ક્લીન નોટ પોલિટી’ હેઠળ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ બજારમાંથી પરત લેશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.