BJP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, નોંધાશે રેપની FIR

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનને જોરદાર ઝટકો આપ્યો છે. કોર્ટે શાહનવાઝની સામે કથિત રેપના મામલામાં એક મહિલાની અરજી પર FIR દર્જ કરવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર આપનારી તેની અરજી ફગાવી દીધી છે.

જસ્ટિસ S.રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે શાહનવાઝ હુસૈનના તરફથી હાજર વકીલોને કહ્યું કે, નિષ્પક્ષ તપાસ થવા દો. જો કેસમાં કંઈ નહીં હશે તો તેઓ બચી જશે.

આ મામલામાં શાહનવાઝ હુસૈન તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને જણાવ્યું કે શાહનવાઝની સામે ફરિયાદી મહિલાએ એક પછી એક અનેક ફરિયાદો નોંધાવી છે. પોલીસે આ ફરિયાદોની તપાસ કરી. પરંતુ કંઈ નહીં મળ્યું.

રોહતગીએ કહ્યું કે, શાહનવાઝ હુસૈન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે, બેન્ચે કહ્યું કે આમાં અમને દખલ કરવાનું કોઈ કારણ મળ્યું નથી, તેથી અમે તેમની (ભાજપ નેતા) અરજી ફગાવી દીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ શાહનવાઝ હુસૈનની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે FIR નોંધવાના નિર્દેશ આપવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. આ પછી 22 ઓગસ્ટ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને અકબંધ રાખ્યો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં શાહનવાઝ હુસૈનના વકીલે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદ નકલી અને ઉપજાવી કાઢેલ છે.

શું છે મામલો?

2018મા, દિલ્હીની એક મહિલાએ ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો આરોપ લગાવતા FIR નોંધાવવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. શાહનવાઝ હુસૈને જો કે, આ આરોપોને નકારી કાઢ્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટે 7 જુલાઈ, 2018ના રોજ હુસૈનની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જેને ભાજપના નેતાએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સાથે જ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, 'પોલીસના રિપોર્ટમાં ચાર વખત પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પરંતુ આ અંગે વાતની કોઈ સ્પષ્ટતા નહીં હતી કે, FIR કેમ નોંધવામાં નહીં આવી. હાલના મામલામાં એવું લાગે છે કે, પોલીસ FIR નોંધવામાં પણ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહી છે.

 

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.