અલ્હાબાદ કોર્ટ પરિસરની મસ્જિદને હટાવી લો, નહીં તો ધ્વસ્ત કરી દેવામાં આવશે: SC

સુપ્રીમ કોર્ટે સોમવારે (13 માર્ચના રોજ) મોટો નિર્ણય સંભળાવતા અલ્લાહબાદ કોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને 3 મહિનાની અંદર હટાવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા હાઇ કોર્ટે વર્ષ 2018માં જ સાર્વજનિક જમીન પર બનેલી મસ્જિદને હટાવવાના નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને હવે 3 મહિનાની અંદર અલ્લાહબાદ હાઇ કોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં મસ્જિદને હટાવવાનો વિરોધ કરનારા અરજીકર્તાઓએ જણાવ્યું કે, તેની સંરચના એક સમાપ્ત લીઝવાળી સંપત્તિ પર ઊભી હતી અને તેઓ સત્તાવાર રૂપે તેને ચાલુ રાખવાનો હવે કોઇ દાવો નહીં કરી શકે.

અરજીકર્તાઓ, વક્ફ મસ્જિદ હાઇ કોર્ટ અને ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે નવેમ્બર 2017ના અલ્લાહબાદ હાઇ કોર્ટના આદેશને પડકાર આપ્યો હતો, જેમાં તેમને મસ્જિદને પરિસરથી બહાર કરવા મારે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અરજી ફગાવી દીધી હતી. જો કે, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની પીઠે અરજીકર્તાઓને મસ્જિદ માટે પાસેની જમીન ફાળવવા માટે ઉત્તર પ્રદેશ સરકારને એક પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી પણ આપી છે.

પીઠે કહ્યું કે, ‘અમે અરજીકર્તાઓ દ્વારા વિચારાધીન નિર્માણને ધ્વસ્ત કરવા માટે 3 મહિનાનો સમય આપીએ છીએ અને જો આજથી 3 મહિનાની અવધિની અંદર નિર્માણ ન હટાવવમાં આવ્યું તો હાઇ કોર્ટ અને અધિકારીઓ પાસે તેને ધ્વસ્ત કરવાનો અધિકાર હશે. તો મસ્જિદ મેનેજમેન્ટ કમિટીનો પક્ષ રાખી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, મસ્જિદ 1950થી છે અને તેને આમ જ હટાવવા માટે નહીં કહી શકાય. વર્ષ 2017માં સરકાર બદલાઇ અને બધુ બદલાઇ ગયું. નવી સરકાર બદલાયાના 10 દિવસ બાદ એક જનહિતની અરજી દાખલ થઇ હતી.

હવે જ્યારે કોર્ટ મુજબ મસ્જિદ માટે જમીન આપવાની વાત કહેવામાં આવી છે તો અમને વૈકલ્પિક સ્થળ પર સ્થળાંતરીત કરવામાં કોઇ સમસ્યા નથી. વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, પૂરી રીતે છેતરપિંડીનો કેસ છે. બે વખત નવીનીકરણના આવેદન આવ્યા હતા અને એ વાતના કોઇ પુરાવા નથી કે મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ જનતા માટે કરવામાં આવ્યો હતો. તેમણે નવિનીકરણની માગ કરતા કહ્યું કે, આવાસીય ઉદ્દેશ્યો માટે આવશ્યક છે. માત્ર એ તથ્ય કે તેઓ નમાજ પડી રહ્યા છે, તેને એક નહીં બનાવી દે. જો સુપ્રીમ કોર્ટના ઉંબરા કે હાઇ કોર્ટના ઉંબરમાં સુવિધા માટે નમાજની મંજૂરી છે તો એ મસ્જિદ નહીં બને.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.