સંજીવ ભટ્ટની અરજી પર SCએ ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો, સુનાવણી મુલતવી

સર્વોચ્ચ અદાલતે મંગળવારે ગુજરાત સરકારને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠેરવવા સામે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અપીલના સમર્થનમાં વધારાના પુરાવાની માંગ કરતી બરતરફ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

બરતરફ IPS (ભારતીય પોલીસ સેવા) અધિકારી ભટ્ટે પ્રભુદાસ વૈષ્ણનીના કસ્ટોડિયલ ડેથના 1990ના કેસમાં તેમની દોષિતતાને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરી છે. કોમી રમખાણો બાદ વૈષ્ણની જામનગર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

જસ્ટિસ M.R. જસ્ટિસ શાહ અને જસ્ટિસ C. T. રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલે કોઈ ઔપચારિક નોટિસ બહાર પાડવાની જરૂર નથી કારણ કે વરિષ્ઠ એડવોકેટ મનિન્દર સિંહ રાજ્ય તરફથી હાજર થઈ ચૂક્યા છે.

સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને 11 એપ્રિલ સુધીમાં તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને 18 એપ્રિલ માટે આ મામલાને સૂચિબદ્ધ કર્યો હતો. ભટ્ટ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ દેવદત્ત કામતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે આ મામલે ઘણી વખત મુલતવી રાખવાની માંગણી કરવા છતાં જવાબ દાખલ કર્યો નથી. બીજી બાજુનું વર્તન જુઓ. 5 વખત એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો અને આજે પણ વધુ સમય માંગ્યો. જુલાઈ 2019માં, ગુજરાતના જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને 1990માં પ્રભુદાસ માધવજી વૈષ્ણનીના કસ્ટોડિયલ ડેથ માટે દોષી ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી હતી. તેણે નિષ્ણાત તબીબના પુરાવા રજૂ કરવા ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. તેમની દલીલને સમર્થન આપવા માટે કે, પ્રભુદાસનું મૃત્યુ કથિત ઉઠક-બેઠકને કારણે થયું ન હતું, તેમને પોલીસ દ્વારા તેવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નીચલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

ભટ્ટે ઓગસ્ટ 2022માં 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાને સસ્પેન્ડ કરવા માટે સર્વોચ્ચ અદાલતમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.

હાઈકોર્ટે અગાઉ ભટ્ટની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે, તેઓ અદાલતો માટે બહુ માન ધરાવતા નથી અને તેમણે જાણીજોઈને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જૂન 2019માં આ કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ કેસ પ્રભુદાસ વૈષ્ણાનીના કસ્ટોડિયલ ડેથ સાથે સંબંધિત છે, જેઓ BJPના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના પગલે કોમી રમખાણો બાદ જામનગર પોલીસે ધરપકડ કરેલા 133 લોકોમાંના એક હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.