મુંબઈમાં શાળા એસેમ્બલી દરમિયાન શિક્ષકે વગાડી દીધી અઝાન, આ એક્શન લેવાયું

મુંબઈની કાંદિવલીમાં કપોલ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના એક શિક્ષકને શુક્રવારે સવારની એસેમ્બલી દરમિયાન અઝાન વગાડવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આ ઘટનાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક માતા-પિતાએ પણ આપત્તિ ઉઠાવી હતી. મહાવીર નગર સ્થિત સ્કૂલની એસેમ્બલીનો એક કથિત વીડિયો શુક્રવારે સવારે વાયરલ થયો હતો, જેમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડતા સાંભળી શકાય છે.

વિરોધ કરનારા માતા-પિતામાંથી એકે કહ્યું કે, અમારામાંથી મોટા ભાગના લોકો અહીં સવારની શેર કરવા આવીએ છીએ. સવારની નમાજ દરમિયાન અઝાન સાંભળવી ખૂબ જ અસામાન્ય હતી. વીડિયો વાયરલ થયાના તુરંત બાદ માતા-પિતા શાળામાં એકત્ર થવા લાગ્યા. શાળાના પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા હેગડેના જણાવ્યા મુજબ, તે વિદ્યાર્થીઓને અલગ-અલગ ધર્મોની પ્રાર્થનાઓ બાબતે જાણકારી આપવાની એક પહેલ હતી.

તેમણે આગળ કહ્યું કે, તે અમારા પ્રયાસની ખોટી વ્યાખ્યા છે. જો કે, આક્રોશિત વાલીઓએ આ પ્રકારની કોઈ પણ પહેલની જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. એક વાલીએ કહ્યું કે, અમારામાંથી કોઈને પણ તેની બાબતે સૂચિત કરવામાં આવ્યા નહોતા. જો તેમને સૂચિત કરવામાં આવતા તો તેઓ આપત્તિ વ્યક્ત કરતા. અમે અહી બાળકોને મોકલી રહ્યા છીએ કેમ કે આ એક હિન્દુ શાળા છે. ઇસ્લામી પ્રાર્થનાની કોઈ આવશ્યકતા નહોતી. શું મદ્રેસામાં કોઈ હિન્દુ પ્રાર્થના થશે?

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વાલીઓના વિરોધનું નેતૃત્વ સ્થાનિક ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય યોગેશ સાગરે કર્યું. આ દરમિયાન સ્થાનિક શિવસેનાના નેતા સંજય સાવંતે પોલીસને એક ફરિયાદ આપી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે શાળા વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેનાથી વાલીઓને ઠેસ પહોંચી છે. સાગર શાળાના ગેટ પર પહોંચ્યા, ત્યારબાદ પ્રદર્શનકારી શાળાના પ્રિન્સિપાલ સાથે મળવાની માગને લઈને શાળા પરિસરમાં ઘૂસી ગયા.

લઘુમતી સમુદાય સાથે સંબંધિત એક શિક્ષિકાએ શુક્રવારની સવારની સભા દરમિયાન પોતાના ફોનથી લાઉડસ્પીકરમાં અઝાન વગાડવાનો નિર્ણય લીધો, એ માત્ર એક ભૂલ નથી. શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરતા સાગરે કહ્યું કે, આ દેશમાં લોકતંત્ર છે, પરંતુ અમે તેનું આ પ્રકારે શોષણ થવા નહીં દઈએ. સ્થાનિક કોર્પોરેટર પ્રતિભા ગિરકરે કહ્યું કે, એ ન માત્ર એક હિન્દુ શાળા છે, પરંતુ આ શાળામાં ક્યારેય કોઈ ઇસ્લામી પ્રાર્થના કરવાની પ્રથા રહી નથી. શાળા પ્રશાસન અમારી સાથે તર્ક કરી રહ્યું છે કે, તેને કોઈ જાણકારી નહોતી, પરંતુ કોઈ શિક્ષક પ્રશાસનની જાણકારી વિના શાળાના લાઉડસ્પીકર પર અઝાન વગાડવાનો નિર્ણય કઈ રીતે કરી શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.