અસ્થિ ભેગા કરતા વખતે મળી કાતર, પુત્રનો આરોપ ડૉક્ટરે પેટમાં છોડી દીધી હતી

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પરિવારે હોસ્પિટલના ડોકટર પર ચોંકાવનારો આરોપ મુક્યો છે. જ્યારે મૃતકના અસ્થિ ભેગા કરવામાં આવી રહ્યા હતા તે વખતે એક કાતર મળી આવી છે. પુત્રએ પોલીસમાં તબીબની લાપરવાહીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને કારણે રાજસ્થાન સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. જો કે ખાનગી હોસ્પિટલે પરિવારના આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે, અમારી પાસે બધા પુરાવા છે.

 જયપુરમાં દર્દીના પેટમાં કાતર છોડવાનો કિસ્સો સામે આવ્યો છે. ગુરુવારે સ્મશાનમાં અસ્થિઓ ભેગા કરતી વખતે પરિવારને આ કાતર મળી આવી હતી. મૃતકના પુત્રએ જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં તેના પિતાની સર્જરી વખતે તબીબોએ તેના પેટમાં કાતર છોડી હોવાનો આક્ષેપ કરીને લેખિત ફરિયાદ આપી છે.

માનસરોવર નિવાસી મૃતક ઉપેન્દ્ર શર્માના પુત્ર કમલ શર્માએ કહ્યું કે, તેમણે 29 મેના દિવસે પિતાની બાયપાસ સર્જરી માટે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ હોસ્પિટલમાં 30 મેના દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી ડોકટરોએ અમારી મંજૂરી વગર જ બીજી સર્જરી કરી નાંખી હતી અને અમારી પાસે 4 લાખ રૂપિયા જમા કરાવડાવ્યા હતા.

કમલ શર્માએ કહ્યું કે 12 જૂન રાત્રે મારા પિતાનું અવસાન થઇ ગયું હતું. બીજા દિવસે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે અસ્થિ લેવા ગયા ત્યારે તેમાંથી કાતર મળી આવી હતી. જો કે હોસ્પિટલના સંચાલકોએ કમલ શર્માના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

સ્ટેશન ઓફિસર સુરેન્દ્ર સૈનીનું કહેવું છે કે પીડિત પક્ષ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર ફરિયાદ નોંધ્યા બાદ એસએમએસ હોસ્પિટલને તપાસ માટે રિપોર્ટ આપવામાં આવ્યો છે.

ફોર્ટિસ હોસ્પિટલ જયપુરના રિજિયોનલ ડિરેકેટર નીરવ બંસલનું કહેવું છે કે પરિવારનો આરોપ ખોટો અને દુર્ભાગ્યપૂર્ણ છે. હોસ્પિટલમાં સર્જરી પછીના તમામ ટેસ્ટ રિપોર્ટ્સ અને એક્સ-રે છે, જે પુષ્ટિ કરે છે કે દર્દીના શરીરમાં કોઈ સર્જિકલ કાતર કે અન્ય કોઈ બહારની વસ્તુ નહોતી.

રાજસ્થાનના આરોગ્ય મંત્રી પરસાદીલાલ મીણાની સૂચના પર, વિભાગે આ મામલાની તપાસ કરવા માટે જાહેર આરોગ્ય નિયામક ડૉ. રવિ પ્રકાશ માથુરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. અધિક નિયામક હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન સુશીલ કુમાર પરમાર અને ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર જયપુર બીએલ મીણાને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.