ગોલ્ડન ટેમ્પલ પાસે 32 કલાકમાં બીજો બ્લાસ્ટ, શું મોટા ષડયંત્રનું છે રિહર્સલ?

પંજાબના અમૃતસરમાં આવેલા શ્રી હરમિન્દર સાહિબ એટલે કે ગોલ્ડન ટેમ્પલની આસપાસ 32 કલાકની અંદર 2 બોમ્બ ધમાકાઓએ સરકારી એજન્સીઓના કાન ઊભા કરી દીધા છે. અહી શનિવારે મોડી રાત્રે 12 વાગ્યે થયેલા ધમાકામાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, જ્યારે બીજો ધમાકો સોમવારે સવારે લગભગ 6:30 વાગ્યે થયો હતો. આ ધમાકામાં કોઇને ઇજા થઇ નથી. બંને ધમાકા ગોલ્ડન ટેમ્પલની આસપાસ હેરિટેજ સ્ટ્રીટ પર થયા છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર-જવર રહે છે.

ભારત જ નહીં, વિદેશોમાં પણ શ્રદ્ધાના કેન્દ્ર ગોલ્ડન ટેમ્પલની એટલી નજીક 2 બોમ્બ બ્લાસ્ટથી ઘણા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ જ પૂછવામાં આવી રહ્યા છે કે આ 2 નાના બોમ્બ ધમાકા ક્યાંક મોટા ષડયંત્રનું રિહર્સલ તો નથી? અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ સિખ ધર્મના સૌથી પવિત્ર ધર્મ સ્થળોમાંથી એક છે. તેનો પાયો લગભગ 400 વર્ષ અગાઉ સિખોના ચોથા ગુરુ રામદાસે રાખ્યો હતો. તેને આખા પંજાબમાં નબ્જ કહેવામાં આવે છે. અહી થનારી નાનકડી હલચલની અસર પંજાબ જ નહીં, વિદેશોમાં પણ નજરે પડે છે.

જે પંજાબમાં 80-90ના દશકમાં ખાલિસ્તાની આતંકી હિંસા ફેલાવવાની શરૂઆત કરનાર જરનેલ સિંહ ભિંડરાવાલેને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ સમયે ગોલ્ડન ટેમ્પલની અંદર ભારતીય સેનાના પગ રાખવા અને અહીં આસપાસ થયેલી ગોળીબારીમાં મંદિરને પહોંચેલા નુકસાનનું પરિણામ મોટા પ્રમાણ પર જનભાવનાઓ ઉશ્કેરાવા તરીકે સામે આવ્યું હતું. પંજાબમાં આતંકી હિંસા ચરમ પર પહોંચી ગઈ હતી, જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને એમના જ સિખ બોડીગાર્ડે ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી.

ગોલ્ડન ટેમ્પલની આસપાસ લગભગ 32 કલાકની અંદર 2 ધમાકા થયા છે. પહેલો ધમાકો શનિવારે મોડી રાત્રે લગભગ 12 વાગ્યે હેરિટેજ સ્ટ્રીટ પર થયો હતો. આ ધમાકાના કારણે સારાગઢી પાર્કિંગની બારીઓનો કાંચ તૂટીને ચારેય તરફ વિખેરાઈ ગયો હતો, જેની ઝપેટમાં આવીને શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. બીજો વિસ્ફોટ પણ હેરિટેજ સ્ટ્રીટ પર થયો છે. એ પહેલા ધમાકાથી માત્ર 10 મીટર દૂર થયો. આ ધમાકામાં કોઇને ઇજા થઈ નથી. પોલીસે પ્રાથમિક તપાસમાં તેને દેશી બોમ્બ બતાવ્યો છે. ગોલ્ડન ટેમ્પલની આસપાસ ખૂબ સખત સુરક્ષાનો ઘેરો રહે છે. એવામાં એક જ જગ્યાએ 2 દિવસથી પણ ઓછા સમયમાં 2 ધમાકા થવાના કારણે જ સવાલ ઉઠી રહ્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.