પૂજા અને નમાજને લઈને કેમ નોઇડામાં લાગી કલમ 144? શું છે તંત્રનો આદેશ

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં બુધવારે પોલીસે સાર્વજનિક સ્થળો પર પૂજા અને નમાજ જેવી ધાર્મિક ગતિવિધિઓ પર રોક લગાવવા માટે CRPCની કલમ 144 લગાવી દીધી છે. પોલીસે કહ્યું કે, નોઇડા અને ગ્રેટર નોઇડામાં રોડ કે સાર્વજનિક સ્થળો પર પૂજા, નમાજ સહિત કોઈ પણ ધાર્મિક ગતિવિધિની મંજૂરી નહીં હોય. આદેશ મુજબ, જરૂરી હોવા પર પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર કે ડેપ્યુટી કમિશનર પાસે મંજૂરી લેવી પડશે.

CRPCની કલમ 144નો આ આદેશ 20 જુલાઈથી લાગૂ થયો છે અને 3 ઑગસ્ટ સુધી 15 દિવસ માટે પ્રભાવી રહેશે. એડિશનલ DCP (લૉ એન્ડ ઓર્ડર) હૃદેશ કઠેરિયા તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આગામી દિવસોમાં મૂહર્રમ, ઇન્ટરનેશનલ રમત પ્રતિયોગિતા, ખેડૂતોના પ્રદર્શન અને પ્રતિયોગી પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, CP, એડિશનલ CP કે DCP પાસેથી પૂર્વ આદેશ વિના સાર્વજનિક સ્થળ પર પાંચથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે કે જુલૂસ વગેરે કાઢી શકાશે નહીં. સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત કાર્યક્રમો માટે આ નિયમમાં ઢીલ આપી શકાય છે. સરકારી ઓફિસોના એક કિલોમીટરના દાયરામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધિત છે. વીડિયો રેકોર્ડિંગ માટે પણ પોલીસ પાસેથી મંજૂરી લેવી પડશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક સ્થળો પર રોડ પર નમાજ, પૂજા કે કોઈ પણ ધાર્મિક આયોજન પર પૂરી રીતે પ્રતિબંધ રહેશે.

જો એમ કરવું જરૂરી હોય તો સંબંધિત અધિકારીઓ પાસેથી આદેશ લેવો પડશે. પોલીસે એમ પણ કહ્યું કે, ધાર્મિક ગતિવિધિ કોઈ પણ વિવાદિત જગ્યા કે કોઈ એવા સ્થળ પર નહીં થાય, જ્યાં પહેલાથી નહીં થતી હોય. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ 30 ઑગસ્ટ સુધી કલમ 144 લાગૂ છે. મોહર્રમ, સ્વતંત્રતા દિવસ, હરિયાળી ત્રીજ અને નાગપંચમી સહિત પ્રવેશ પરીક્ષા અને પ્રદર્શનને ધ્યાનમાં લઈને કલમ 144 લાગવવામાં આવી છે. આ વખત લખનૌમાં કલમ 144ના 2 મહિનાઓ માટે લગાવવામાં આવી છે.

તે 30 ઑગસ્ટ સુધી લાગૂ રહેશે અને આ તારીખ સુધી મંજૂરી વિના કોઈ પણ પ્રકારના ધરણાં પ્રદર્શન અને જુલૂસ કાઢવા પર પ્રતિબંધ હશે. એ હેઠળ સાર્વજનિક સ્થળો પર 4 કરતા વધુ લોકોના એકત્ર થવા, જુલૂસ અને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વગાડવામાં નહીં આવે, મકાન પર ઈંટ પથ્થર વગેરે જમા ન કરો. ઇકો ગાર્ડન ધરણાં સ્થળથી અતિરિક્ત ક્યાંય ધરણાં પ્રદર્શન નહીં થાય. હાઇ સિક્યોરિટી ઝોન અને મહત્ત્વપૂર્ણ કાર્યાલય પાસે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. નિયમો વિરુદ્ધ એમ કરવા પર કાયદાકીય કાર્યવાહી થશે.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.