પૂજા અને નમાજને લઈને કેમ નોઇડામાં લાગી કલમ 144? શું છે તંત્રનો આદેશ

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં બુધવારે પોલીસે સાર્વજનિક સ્થળો પર પૂજા અને નમાજ જેવી ધાર્મિક ગતિવિધિઓ પર રોક લગાવવા માટે CRPCની કલમ 144 લગાવી દીધી છે. પોલીસે કહ્યું કે, નોઇડા અને ગ્રેટર નોઇડામાં રોડ કે સાર્વજનિક સ્થળો પર પૂજા, નમાજ સહિત કોઈ પણ ધાર્મિક ગતિવિધિની મંજૂરી નહીં હોય. આદેશ મુજબ, જરૂરી હોવા પર પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર કે ડેપ્યુટી કમિશનર પાસે મંજૂરી લેવી પડશે.

CRPCની કલમ 144નો આ આદેશ 20 જુલાઈથી લાગૂ થયો છે અને 3 ઑગસ્ટ સુધી 15 દિવસ માટે પ્રભાવી રહેશે. એડિશનલ DCP (લૉ એન્ડ ઓર્ડર) હૃદેશ કઠેરિયા તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આગામી દિવસોમાં મૂહર્રમ, ઇન્ટરનેશનલ રમત પ્રતિયોગિતા, ખેડૂતોના પ્રદર્શન અને પ્રતિયોગી પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, CP, એડિશનલ CP કે DCP પાસેથી પૂર્વ આદેશ વિના સાર્વજનિક સ્થળ પર પાંચથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે કે જુલૂસ વગેરે કાઢી શકાશે નહીં. સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત કાર્યક્રમો માટે આ નિયમમાં ઢીલ આપી શકાય છે. સરકારી ઓફિસોના એક કિલોમીટરના દાયરામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધિત છે. વીડિયો રેકોર્ડિંગ માટે પણ પોલીસ પાસેથી મંજૂરી લેવી પડશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક સ્થળો પર રોડ પર નમાજ, પૂજા કે કોઈ પણ ધાર્મિક આયોજન પર પૂરી રીતે પ્રતિબંધ રહેશે.

જો એમ કરવું જરૂરી હોય તો સંબંધિત અધિકારીઓ પાસેથી આદેશ લેવો પડશે. પોલીસે એમ પણ કહ્યું કે, ધાર્મિક ગતિવિધિ કોઈ પણ વિવાદિત જગ્યા કે કોઈ એવા સ્થળ પર નહીં થાય, જ્યાં પહેલાથી નહીં થતી હોય. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ 30 ઑગસ્ટ સુધી કલમ 144 લાગૂ છે. મોહર્રમ, સ્વતંત્રતા દિવસ, હરિયાળી ત્રીજ અને નાગપંચમી સહિત પ્રવેશ પરીક્ષા અને પ્રદર્શનને ધ્યાનમાં લઈને કલમ 144 લાગવવામાં આવી છે. આ વખત લખનૌમાં કલમ 144ના 2 મહિનાઓ માટે લગાવવામાં આવી છે.

તે 30 ઑગસ્ટ સુધી લાગૂ રહેશે અને આ તારીખ સુધી મંજૂરી વિના કોઈ પણ પ્રકારના ધરણાં પ્રદર્શન અને જુલૂસ કાઢવા પર પ્રતિબંધ હશે. એ હેઠળ સાર્વજનિક સ્થળો પર 4 કરતા વધુ લોકોના એકત્ર થવા, જુલૂસ અને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વગાડવામાં નહીં આવે, મકાન પર ઈંટ પથ્થર વગેરે જમા ન કરો. ઇકો ગાર્ડન ધરણાં સ્થળથી અતિરિક્ત ક્યાંય ધરણાં પ્રદર્શન નહીં થાય. હાઇ સિક્યોરિટી ઝોન અને મહત્ત્વપૂર્ણ કાર્યાલય પાસે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. નિયમો વિરુદ્ધ એમ કરવા પર કાયદાકીય કાર્યવાહી થશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.