ગોબરથી બન્યા 35 ફૂટના હનુમાનજી, 1000 વર્ષ સુધી ખરાબ નહીં થાય મૂર્તિ

રાજસ્થાનના જયપુરથી ગોબર અને માટીથી બનેલી ઉત્તર મુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેની ઊંચાઇ 35 ફૂટ છે અને સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ પરિસરમાં કરવામાં આવી છે. સંકટ મોચન ગોબરિયા હનુમાનજીની પૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગત 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એ સિવાય 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે. આખા મંદિર પર ગોબરનો લેપ કરવામાં આવ્યો છે, તેમાં મુખ્ય મૂર્તિનો આકાર 35 ફૂટ ઊંચો, 18 ફૂટ પહોળો અને 4 ફૂટ મોટો છે.

હનુમાનજીની આ વિશાળકાય પ્રતિમાને બનાવવા માટે ગોબરની 23 હજાર ઈંટ લાગી છે. સાથે જ ગોબરથી જ દોઢ ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા અને એક ફૂટ ઊંચી લક્ષ્મીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. મંદિરના પૂજારી વિષ્ણુ દત્ત શર્માએ જણાવ્યું કે, ગાયના ગોબર અને માટીથી બનેલી મૂર્તિ બનાવવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો છે. તેને 7 કારીગરોએ મળીને બનાવી છે. તેને બનાવવામાં 17 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જો કે, પરિયોજના પૂરી કરવામાં 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેમાં અત્યારે 121 ફૂટની ગાયના ગોબરની મહાલક્ષ્મીજીની મૂર્તિ સહિત કેટલાક અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થશે.

મંદિર મેનેજમેન્ટનો દાવો છે કે, ગાયના ગોબરની આ વિશાળકાય પ્રતિમા એક હજાર વર્ષ સુધી જેવીની તેવી બનેલી રહેશે. તેના માટે મૂર્તિ બનાવવામાં ગોબર સિવાય મેદો, લાકડી, ચૂનો અને પથ્થર વગેરેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. સાથે જ સિંદુર ભેળવીને ચડાવવામાં આવ્યું છે. એ સિવાય આખા સ્ટ્રક્ચરને ગોબરથી બનેલા ગર્ભગૃહથી કવર કરવામાં આવ્યું છે. મંદિરની છત ઉપર ટીન શેડ લગાવવામાં આવ્યો છે જેથી વરસાદમાં પણ મૂર્તિ પૂરી રીતે સુરક્ષિત રહે. હવે ભક્ત આ અનોખા મંદિરમાં પોતાની અરજી લઇને આવે છે અને હનુમાનજી આગળ કષ્ટ હરવાની કામનાઓ કરે છે.

છત્તીસગઢમાં એક 350 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં સુરહિન ગાયના ગોબરથી બનેલી હનુમાનજીની પ્રતિમા આવેલી છે. તે આજે પણ જેવીની તેવી છે. આ મંદિર પર લોકોની અતૂટ આસ્થા છે. મંદિર પરિસરમાં એક કુંડ છે, જેનું પાણી અમૃત માનવામાં આવે છે. ચર્મ રોગના પીડિત પણ સારા થઇ જાય છે. આ પાવન તપોભૂમિનું નામ છે શ્રી સૂક્ખડનાથ ધામ.  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના મુખ્યાલયથી દુર્ગ-ભિંભૌરી મુખ્ય માર્ગ પર નારધા ગામના એક મંદિરમાં હનુમાનજીની એવી પ્રતિમા છે જે ગાયના ગોબરથી નિર્મિત છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.