માતા પ્રેમીની બાહોમાં આપત્તિજનક સ્થિતિ હતી, માસૂમ પુત્ર જોઇ જતા તેને છત પરથી..

શું કોઈ મા પોતાના અવૈધ સંબંધોને છુપાવવા માટે પોતાના એકના એક પુત્રને મારી શકે છે? આ વાત ભલે અજીબ લાગતી હોય પરંતુ આ સત્ય છે. ત્રણ વર્ષના માસૂમ સન્ની ઉર્ફે જતીન રાઠોડને ખબર નહોતી કે તેને 9 મહિના સુધી પેટમાં રાખીને ઉછેરનાર માતા તેના જીવની દુશ્મન બની જશે. ગ્વાલિયર જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોડને તેના પાડોશી ઉદય ઈન્દોલિયા સાથે અનૈતિક સંબંધો હતા. જેના કારણે 28 એપ્રિલે તેણે તેના ત્રણ વર્ષના માસૂમ પુત્રને ઘરની છત પરથી નીચે ફેંકી દીધો હતો અને તેનું મોત થયું હતું.

આ માસૂમ બાળકનો વાંક એટલો જ હતો કે, તેણે તેની માતાને તેના પ્રેમીની બાહોમાં આપત્તીજનક હાલતમાં જોઈ હતી. મહિલાએ વિચાર્યું કે તેનો દીકરો તેના પતિને તેના પ્રેમ સંબંધ વિશે બધું જ કહી દેશે. જેનાથી ગભરાઈને તેણે તેના એકના એક દીકરા સની ઉર્ફે જતીનને ટેરેસ પરથી ફેંકી દીધો હતો. બે માળેથી પડી જતાં બાળકને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેની એક દિવસ જયારોગ્ય હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી હતી, પરંતુ બીજા જ દિવસે એટલે કે 29મી એપ્રિલે તેનું અવસાન થયું હતું. ઘરના લોકો, ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ ધ્યાનસિંહ એવું માની રહ્યા હતા કે, બેદરકારીના કારણે તેમનો પુત્ર લપસી ગયો અને નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થયું.

પરંતુ થોડા દિવસો પછી, આખરે જ્યોતિએ તેના પતિ સમક્ષ પોતાનું પાપ કબૂલ્યું. પતિએ આ બધું સહન કર્યું અને તેનો ઓડિયો અને વીડિયો રેકોર્ડ કર્યો. આ પછી તેણે થાટીપુર પોલીસને અરજી સાથે આ પુરાવા આપ્યા. જેના પર પોલીસે કાર્યવાહી કરીને તે જ ક્ષણે જ્યોતિ રાઠોડની ધરપકડ કરી હતી. હવે તેના પ્રેમી ઉદય ઈન્દોલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે ઉદય પણ ટેરેસ પર હાજર હતો. 28 એપ્રિલે પ્લાસ્ટિકની દુકાનના ઉદ્ઘાટનના સંદર્ભમાં ધ્યાન સિંહે ઉદય ઈન્દોલિયા સહિત ઘણા લોકોને બોલાવ્યા હતા.

આ પ્રસંગ દરમિયાન જ્યોતિ અને ઉદય બધાના ધ્યાનથી બચીને ટેરેસ પર ગયા હતા. દરમિયાન માસુમ સની ઉર્ફે જતીન પણ તેની માતાની પાછળ પાછળ ટેરેસ પર આવ્યો હતો, જેને જોઈ તેની માતા ગભરાઈ ગઈ અને તેણે પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. જો કે આ મામલે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

આ દુનિયામાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. તેમને મમતાની મૂર્તિ કહેવામાં આવે છે. પરંતુ સમાજમાં જ્યોતિ રાઠોડ જેવી મહિલાઓ છે, જેઓ કોઈપણ સંબંધને તેમના ગેરકાયદેસર સંબંધો આગળ કઈ ગણતી નથી. જો તેમના પ્રેમ સંબંધની આડે માતા-પિતા, ભાઈ, બહેન કે પતિ પણ આવે તો તેમને રસ્તામાંથી હટાવવા તેમના હાથ કાંપતા નથી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.