કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, પોલીસકર્મી, તેમના પત્ની-બાળકોના મોત

On

કોરબા જિલ્લામાં મોરગા પોલીસ સ્ટેશન હેઠળ મદનપુર ફોરેસ્ટ બેરિયર પાસે ઝડપથી આવતી ટ્રક અને કાર સામ સામે અથડાઇ હતા, આ દુર્ઘટનામાં પોલીસ સહિત તેના આખા પરિવારના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેની પત્ની અને બે સંતાનોના મોત નીપજ્યા છે. કહેવાયું છે કે, આ ઘટના સવારે લગભગ 5 વાગે બની છે. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહોને બહાર કાઢ્યા.

જાણકારી અનુસાર, ઘટના પછી ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ભાગી ગયો. ઘટના બાદ રાહદારીઓની ભીડ એકઠી થઇ ગઇ અને તેની સૂચના તત્કાલ મોરગા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી. મોરગા પોલીસ સ્ટેશનના પ્રભારી અશ્વની નિરંકારીએ કહ્યું કે, મૃતક મનોજ કુમાર તિર્કી અંબિકાપુરના રહેવાસી હતા. તેઓ બસ્તરના બકાવંડ તથા બોધઘાટ પોલીસ સ્ટેશનના પ્રભારી રહી ચૂક્યા હતા. હાલ વર્તમાનમાં તેમને રક્ષિત કેન્દ્રમાં ડ્યુટી આપવામાં આવી હતી. અંબિકાપુરથી જગદલપુર તરફ જતી વખતે આ ઘટના બની હતી. ટ્રક ડ્રાઇવરની તલાશ ચાલુ જ છે.

છોકરાઓનું વેકેશન ચાલતું હોવાના કારણે સબ ઇન્સ્પેક્ટર મનોજ કુમાર તિક્રી પોતાની પત્ની અને બન્ને સંતાનો સાથે રજાઓ ગાળવા અંબિકાપુર ગયા હતા. રજાઓ ખતમ થયા પછી અંબિકાપુરથી પાછા જગદલપુર આવી રહ્યા હતા ત્યારે સવારે લગભગ 5 વાગ્યે કોરબા જિલ્લાના અંતિમ છેડા મોરગા પોલીસ સ્ટેશનના મદનપુર ફોરેસ્ટ બેરિયર પાસે ટ્રક સાથે તેમની કાર ભયંકર રીતે અથડાઇ હતી.

આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કારમાં સવાર દરેક લોકો ઘટના પછી કારમાં જ ફસાઇ ગયા હતા. આ ઘટનામાં સબ ઇન્સ્પેક્ટરનો પરિવાર ખતમ થઇ ગયો, દરેક ચાર લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અમુક લોકોનું કહેવું છે કે, વધારે પડતી ઝડપના કારણે આ દુર્ઘટના બની છે. જોકે, ઘટનાના વાસ્તવિક કારણોનો ખુલાસો હજુ સુધી નથી થયો.

મોરગા પોલીસ ઘટનાની સૂચના મળ્યા બાદ તરત જ મોકા પર પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ થયા પછી અંતિમ સંસ્કાર માટે મૃતદેહોને પરિવારને સોંપવામાં આવ્યા. આ ભયાનક સડક દુર્ઘટનાની ખબર મળતા જ આસપાસના ક્ષેત્રમાં શોકની લહેર ફેલાઇ ગઇ.

પોલીસે દુર્ઘટનાગ્રસ્ત ટ્રકને જપ્ત કરી લીધી છે. ટ્રક ચાલક દુર્ઘટના પછી ભાગી ગયો હતો. પોલીસનો દાવો છે કે, આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati