લોકસભાના સૌથી વયોવૃદ્ધ સાંસદ શફિકુર્રહમાનનું 94 વર્ષ નિધન, ફરી લડવાના હતા

On

સમાજવાદી પાર્ટી (SP)ના વરિષ્ઠ નેતા અને સંભલથી સાંસદ શફિકુર્રહમાન બર્કનું મંગળવારે નિધન થઈ ગયું છે. તેઓ 94 વર્ષના હતા. શફિકુર્રહમાન બર્ક ઘણા દિવસથી બીમાર હતા અને મુરાદાબાદની એક હૉસ્પિટલમાં દાખલ હતા. ગત દિવસોમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમને મળવા માટે હૉસ્પિટલ પણ ગયા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને સંભલથી ઉમેદવાર પણ બનાવ્યા હતા. શફિકુર્રહમાન બર્ક લોકસભામાં સૌથી વૃદ્ધ નેતા હતા. તેઓ 4 વખત ધારાસભ્ય અને 5 વખત સાંસદ રહ્યા છે.

શફિકુર્રહમાન બર્ક પહેલી વખત સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વર્ષ 1996માં લોકસભાની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. તો તેઓ વર્ષ 2014ની મોદી લહેરમાં પણ બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા શફિકુર્રહમાન બર્ક મુસ્લિમોના હિતોને લઈને હંમેશાં આગળ રહેતા હતા. શફિકુર્રહમાન બર્કના પુત્ર સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય છે.

સપા સાંસદ શફિકુર્રહમાન બર્કના નિધન પર મુરાદાબાદથી સંસસદ ડૉ. એસ.ટી. હસને કહ્યું કે, ખૂબ અફસોસની વાત છે. મને અત્યારે ખબર પડી કે જનાબ શફિકુર્રહમાન બર્ક સાહેબ આપણી વચ્ચે નથી. તેમનું નિધન આપણાં બધા માટે, અમારી પાર્ટી માટે ખૂબ મોટું નુકસાન છે. દેશમાં એક ખૂબ મોટા નેતા આ દુનિયાથી દૂર થઈ ગયા. જેમણે ક્યારેય કોઈના ડરથી કામ કર્યું નથી. કદાચ એટલા બહાદુર અને ઈમાનદાર નેતા આખા દેશની અંદર ઘણા ઓછા રહી ગયા છે.

શફિકુર્રહમાન બર્કના નિધનના સમાચાર પર અખિલેશ યાદવે દુઃખ વ્યક્ત કર્યું છે અને લખ્યું કે, 'સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા, ઘણી વખતના સાંસદ જનાબ શફિકુર્રહમાન બર્ક સાહેબનું નિધન, અત્યંત દુઃખદ. તેમની આત્માને ભગવાન શાંતિ આપે. શોકાંતુર પરિવારને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ મળે. ભાવભીની શ્રદ્ધાંજલિ.

Related Posts

Top News

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

સમય મર્યાદા અને આત્મ-નિયંત્રણના પગલાં ઓનલાઈન ગેમિંગ વ્યસનની અસરોને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. IIT દિલ્હી અને AIIMS દ્વારા...
Lifestyle 
 IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજે તમને સત્તાધારી શક્તિનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati