ઝેરી ખોરાક નાંખ્યા બાદ તૂટી જતી હતી શાહજહાંની પ્લેટ, હજુ પણ મ્યુઝિયમમાં છે

વિશ્વમાં માટીકામની હાજરીના નિશાન 24,000 વર્ષ જૂના છે. આજે ખોરાકને ગરમ અને ઠંડા રાખવા માટે વાસણોની શોધ થઈ છે. જો કે, માટીકામનો ઇતિહાસ વર્તમાન જેટલો જ સમૃદ્ધ રહ્યો છે. મુઘલ સમ્રાટ શાહજહાં પાસે એક એવી પ્લેટ હતી, જેમાં ખોરાક નાખતા જ તેનો રંગ બદલાઈ જતો હતો અથવા તો તે તૂટી જતી હતી.

હા, આવી પ્લેટ આજે પણ આગ્રાના તાજ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. પ્લેટને કેટલાક સુરક્ષા કર્મચારીઓ અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ કાચની ફ્રેમમાં રાખવામાં આવી છે. પ્લેટની બરાબર ઉપર એક સૂચનાની તકતી હિન્દી અને અંગ્રેજીમાં પ્લેટની વિશેષતા લખે છે, 'પોઇઝન ટેસ્ટ રકાબી (તશ્ત્રી) એક પ્રકારનું સિરામિક પાત્ર કે જેમાં ઝેરી ખોરાક નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાય છે અથવા તૂટી જાય છે.'

સલમા યુસુફ હુસૈન, તેમના પુસ્તક 'ધ મુગલ ફિસ્ટ: રેસિપીસ ફ્રોમ ધ કિચન ઓફ એમ્પરર શાહજહાં'માં અહેવાલ આપે છે કે, મુઘલ બાદશાહ સામાન્ય રીતે તેની રાણીઓ અને હરમમાં રહેતી સ્ત્રીઓની સાથે ભોજન કરતા હતા. તે તહેવારોના પ્રસંગો સિવાય ઉમરાવો અને દરબારીઓ સાથે જમતા. રોજનું ભોજન સામાન્ય રીતે વ્યંઢળો દ્વારા પીરસવામાં આવતું હતું.

હકીમ (શાહી ચિકિત્સક) દ્વારા તૈયાર કરાયેલા મેનૂ અનુસાર શાહી રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, પુલાવમાં ચોખાના દરેક દાણાને ચાંદીના વરખથી કોટેડ કરવામાં આવતા હતા. આ કરવા પાછળ હકીમનો તર્ક એ હતો કે, ચાંદીના વરખવાળા ચોખા પાચનક્રિયામાં સુધારો થાય છે અને તે ચોખામાંથી બનેલી વાનગીઓ પણ કામોત્તેજક તરીકે કામ કરે છે.

શાહજહાંનો ખોરાક પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. જો કે, આ મહાન સમ્રાટના છેલ્લા વર્ષો ખૂબ પીડાદાયક હતા. શાહજહાંના પુત્ર ઔરંગઝેબે તેને પદભ્રષ્ટ કરીને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા હતા. તે આઠ વર્ષ જેલમાં રહ્યા અને વર્ષ 1666માં તેમનું અવસાન થયું. દંતકથા છે કે, ઔરંગઝેબે આદેશ આપ્યો હતો કે, તેના પિતાને તેની પસંદગીની માત્ર એક જ સામગ્રી આપવામાં આવે. પછી શાહજહાંએ ચણા પસંદ કર્યા.

એવું કહેવાય છે કે, તેમણે ચણા એટલે પસંદ કર્યા, કારણ કે તેને ઘણી અલગ અલગ રીતે રાંધી શકાય છે. આજે પણ ઉત્તર ભારતીય ભોજનની વિશેષતાઓમાંની એક શાહજહાની દાળ છે, જે મલાઈની ભરપૂર ગ્રેવીમાં ચણાને રાંધીને બનાવવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.