શાહરૂખ બેશરમ છે,પાકિસ્તાન જવું જોઈએ.. પઠાણને લઈને ગુસ્સે થયા ચિન્મયાનંદ

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાણ'નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. લોકો આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. હવે કથાકારો પણ ફિલ્મ 'પઠાણ' સામે આવ્યા છે. ચિન્મયાનંદે ફિલ્મ 'પઠાણ'ને લઈને શાહરૂખ ખાનની ઝાટકણી કાઢી છે. ચિન્મયાનંદે કહ્યું કે, 'પઠાણ' ફિલ્મમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. અપશબ્દો કહ્યા છે. હું કહેવા માંગુ છું, તમે જે દેશમાં રહો છો, આ દેશના ત્રિરંગામાં પણ ભગવો રંગ છે. કેસરી રંગ આપણા દેશનું ગૌરવ છે. તિરંગામાં પહેલો રંગ કેસરી છે. આ ભગવા રંગને બેશરમ કહેવો ખૂબ જ દુઃખદ છે. હું આખા દેશને અપીલ કરું છું કે, આ ફિલ્મનો ઉગ્ર વિરોધ થવો જોઈએ.

ચિન્મયાનંદે સેન્સર બોર્ડ પાસે ફિલ્મ 'પઠાણ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, 'પઠાણ' ફિલ્મે સંત સમાજથી લઈને દરેક દેશભક્તની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આવી સ્થિતિમાં સેન્સર બોર્ડે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ચિન્મયાનંદ બાપુએ કહ્યું કે, બોલિવુડમાં આવી ઘણી ટીમો છે, જે હિંદુ વિરોધી ગતિવિધિઓ ચલાવે છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ફિલ્મમાં દીપિકાએ જે અભિનય કર્યો છે તે અશ્લીલતાથી ભરેલો છે. આ સાથે ગીતમાં કેસરી રંગને બેશરમ ગણાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે, બીજી વાત એ છે કે શાહરૂખ ખાન આપણા દેશનો વિરોધી રહ્યો છે, જ્યારે પણ આપણા દેશને જરૂર પડે છે ત્યારે તે ચેરિટી માટે પાકિસ્તાન જાય છે. તે ત્યાં બાળકો માટે કામ કરે છે. શાહરૂખ ખાને ક્યારેય ભારત માટે કામ કર્યું નથી.

ખંડવામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ચિન્મયાનંદે શાહરૂખ ખાન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જ્યારે ફિલ્મ આવે છે ત્યારે શાહરૂખ ખાન હિન્દુ મંદિરમાં જઈને ખોટો ઢોંગ કરે છે. હું યુવાનો અને દેશના લોકોને અપીલ કરું છું કે, તેઓ આવી છેતરપિંડીથી બચે. કેસરી રંગને બેશરમ કહેનાર શાહરૂખ ખાન પોતે બેશરમ છે. પહેલા શાહરૂખ ખાન કહેતો હતો કે 'BJPની સરકાર કેન્દ્રમાં આવશે તો હું ભારત છોડી દઈશ', હું પૂછવા માંગુ છું કે, તમે ભારત કેમ ન છોડ્યું. તમારે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.