હાઇવે પર બનેલા 150 વર્ષ જૂના હનુમાન મંદિરને જેક લગાવીને કરાઇ રહ્યું છે શિફ્ટ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 150 વર્ષ જૂના હનુમાન મંદિરને જેક લગાવીને શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી મંદિરના સ્થળાંતરનું કામ શરૂ છે. જેમાં સોળ ફૂટ ઊંચા હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ કરી દેવામાં આવ્યું છે. શાહજહાંપુરના નેશનલ હાઈવે પર બનેલા આ મંદિરને હટાવવાને લઈને ઘણો વિવાદ પણ થઈ ચૂક્યો છે. જો કે, પહેલા પણ આ મંદિરને હટાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રયાસ સફળ નહીં થયો હતો. એવામાં તેને મશીનની મદદથી રોડ પરથી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

તિલ્હર SDM રાશિ કૃષ્ણએ મંદિરના સ્થળાંતરને લઈને ચાલી રહેલા કામ વિશે જાણકારી આપતા કહ્યું કે, હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ ખસેડવામાં આવ્યું. તિલ્હર પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 24ની વચોવચ બનેલું આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. નેશનલ હાઈવે 24 પર ફોરલેન બનાવવાના કારણે કછીયાના ખેડા નામની જગ્યાએ સ્થિત આ પ્રસિદ્ધ મંદિરને હટાવવા માટે જ્યારે આદેશ આપવામાં આવ્યો ત્યારે અહીં સ્થાનિક લોકોએ તેનો ભારે વિરોધ કર્યો. હિન્દુ સંગઠનોએ પણ ભારે વિરોધ કર્યો. જે બાદ મંદિરને હટાવવાના કામને અટકાવી દેવામાં આવ્યું હતું. જો કે, બાદમાં NHAI અને વહીવટીતંત્રે મંદિરને મશીનો દ્વારા શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.

જ્યારે જ્યારે તોડવાનો થયો પ્રયાસ, ઘટી નહીં ઘટવાની ઘટના

મંદિરને લઈને સ્થાનિક લોકો પાસેથી અલગ-અલગ પ્રકારના કિસ્સાઓ સાંભળવા મળે છે. જેમાં કહેવામાં આવે છે કે, મંદિરને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેના કારણે જ્યારે આ બાબતે કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોઈને કોઈ ઘટના બની. એવામાં મંદિરને તોડવાને બદલે સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે મંદિરને ખસેડવા બાબતે હનુમાન મંદિરના મહંત રામ લખન ગિરીનું કહેવું છે કે, હનુમાન મંદિરને પાછળ લઈ જવા માટે અમારી તરફથી કોઈ સંમતિ નથી. અમે વહીવટીતંત્રની આ કાર્યવાહીને લઈને સંપૂર્ણ રીતે અસંમત છે. તેમણે કહ્યું કે, આ મંદિરને ખસેડવામાં નહીં આવે તે માટે કોર્ટમાં બે કેસ પણ પેન્ડિંગ છે. પરંતુ હવે SDM પોતે મંદિર સમિતિના અધ્યક્ષ છે, જો કે, તેમના નેતૃત્વમાં તેનું સ્થળાંતર કરવા માટેનું કામ કરી રહ્યા છે.

ગંગા જમુની તહઝીબની કહાની

હાઈવેની વચ્ચે આવેલું આ હનુમાન મંદિર ગંગા જમુની તહઝીબને લઈને પણ ખૂબ પ્રખ્યાત છે. ખરેખર, હનુમાન મંદિરના કિનારા પર જ તિલ્હાર નગરના રહેવાસી હસમત અલી ઉર્ફે બાબુ અલીએ મંદિર માટે પોતાની એક વીઘા જમીન દાનમાં આપી દીધી હતી. મળતી માહિતી મુજબ, પરિવાર સાથે વાત કર્યા બાદ બાબુ અલીએ બજરંગબલીના નામથી નોંધણી કરાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તિલહર એસડીએમ રાશિ કૃષ્ણને નામાંકિત કર્યા હતા. જમીનની નોંધણી થયા બાદ બાબુ અલીએ હનુમાનજીના ચરણોમાં કાગળ મૂકીને જમીન તેમને સોંપી દીધી. હનુમાન મંદિરને લઈને આ કિસ્સો અહીં દરેકની જીભ પર સાંભળવા મળશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.