પોલીસની શરમજનક હરકત, વીડિયો જોઇને લોકોએ કહ્યું ‘માનવતા મરી પરવારી’

સોશિયલ મીડિયા પર પોલીસ અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઇક વાર સારા કામ માટે તો કોઇક વખત બેકાર હરકતોને કારણે. સોશિયલ મીડિયા પર અત્યારે પુણે રેલવે સ્ટેશનનો એક પોલીસ કર્મીનો વીડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક પોલીસ સ્ટેશના પ્લેટફોર્મ પર સુતેલા લોકો પર પાણી રેડીને તેમને જગાડી રહ્યો છે. આ વીડિયોને કેપ્શન, ‘RIP માનવતા લખીને શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઇ રહેલા પોલીસ GRP જવાન હોવાનું કહેવાઇ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ટ્વીટર યૂઝર રૂપેન ચૌધરીએ શુક્રવારે અપલોડ કર્યો હતો. વીડિયો શેર કર્યા પછી નેટિજન્સે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે અને વીડિયો પર કમેન્ટનો વરસાદ થઇ ગયો.

પુણે ડિવિઝનલ રેલવે મેનેજર ઇંદુ દુબેએ વીડિયોને અફસોસજનક બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્લેટફોર્મ પર લોકોના સુવાને કારણે અન્ય મુસાફરોને અસુવિધા ઉભી થતી હોય છે, પરંતુ લોકોને આ રીતે ઉઠાડવાની રીત યોગ્ય નથી.

વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા પછી અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ જોઇ લીધો છે. લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે આને શરમજનક હરકત જણાવી તો, તો એક યૂઝરે આ કૃત્યને સારા પાઠ તરીકે ગણાવ્યું કે બીજી વખત પ્લેટફોર્મ પર લોકો ન સુઇ જાય.

એક યૂઝરે લખ્યું કે સરકારે વધારે વેઇટીંગ હોલ બનાવવા જોઇએ, જેથી લોકોએ પ્લેટફોર્મ પર સુવું ન પડે.

એક યુઝરે લખ્યું છે કે પ્લેટફોર્મ પર ન સૂવાનો નિયમ છે, કાયદાને સમજાવવાનો આ એક સરળ રસ્તો છે. તે તેમના માટે એક પાઠ જેવું છે.

જો કે આ વીડિયો વાયરલ થવાને કારણે ભારે ચર્ચા ઉભી થઇ છે, પરંતુ દેશભરના રેલવે સ્ટેશનો પર આવું અનેક વખત બનતું જોવા મળે છે. રેલવે  સ્ટેશનોના પ્લેટફોર્મ પર અનેક લોકો ઉંઘતા જોવા મળતા હોય છે અને પોલીસ તેમને દંડા બતાવીને ઉઠાડે છે. એમાં ઘણી વખત સાવ નવરા લોકો પણ પ્લેટફોર્મ પર સુવા આવી જતા હોય છે અને અનેક લોકો એવા હોય છે, જેમને વારંવારની સુચના આપવા છતા ત્યાંથી હઠતા નથી, એવા સંજોગોમાં પોલીસો આવી રીતે પ્રયોગ કરતા હોય છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.