શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ હિન્દુ નિવેદનને લઈને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા

On

સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના પહેલા ભાષણમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. ત્યાર પછી BJPએ હિંદુ સંગઠનો સાથે મળીને તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીના હિંદુ નિવેદન પર થઈ રહેલી ટીકા વચ્ચે જ્યોતિર મઠના 46મા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કોંગ્રેસના સાંસદના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું ભાષણ હિંદુ ધર્મનો વિરોધ કરતું નથી. અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી.

હકીકતમાં, સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા તરીકે પોતાના પ્રથમ ભાષણમાં રાહુલ ગાંધીએ BJPના નેતાઓ પર લોકોને સાંપ્રદાયિક ધોરણે વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. પોતાના વિચારો વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસાની વાત કરે છે'.

જ્યારે રાહુલ ગાંધીએ BJP પર આ આરોપ લગાવ્યો ત્યારે PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે કોંગ્રેસના નેતાએ સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવ્યો છે. હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, રાહુલ ગાંધીનું ભાષણ હિંદુ ધર્મનો વિરોધ કરતું નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનનો માત્ર એક ભાગ ફેલાવવો યોગ્ય નથી અને જવાબદારોને સજા થવી જોઈએ.

કોંગ્રેસ પાર્ટીએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું આ નિવેદન તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય હિંદુ ધર્મ વિરુદ્ધ વાત નથી કરી રહ્યા. રાહુલ ગાંધીના નિવેદનનો અડધો ભાગ ફેલાવવો એ ગુનો છે. જે આવું કરે છે તેને સજા થવી જોઈએ.'

જોકે, 1 જુલાઈના રોજ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણને કાપીને ટૂંકું કરવામાં આવ્યું હતું. તેમણે સંસદમાં લગભગ 90 મિનિટનું ભાષણ આપ્યું અને આ દરમિયાન તેમણે 20થી વધુ મુદ્દાઓ પર મોદી સરકાર અને BJP પર નિશાન સાધ્યું. તેમણે હિન્દુ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, બેરોજગારી, નોટબંધી, GST, MSP, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, અદાણી-અંબાણી, PM અને સ્પીકરને લગતા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા ભાષણનો કેટલોક ભાગ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યો છે. હિંદુ, PM નરેન્દ્ર મોદી, BJP, RSS અને અન્ય ઘણા મુદ્દાઓ પર રાહુલની ટિપ્પણીઓને તેમના ભાષણમાંથી હટાવી દેવામાં આવી છે.

જ્યારે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. જો કે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈને સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું કે, મારો ભાઈ (રાહુલ) ક્યારેય હિંદુઓ વિરુદ્ધ બોલી શકે નહીં. તેમણે BJP અને BJPના નેતાઓ વિશે વાત કરી છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati