અવિમુક્તેશ્વરાનંદે બજરગં દળ, સાંઈ બાબા, ધર્માંતરણ વિશે જાણો શું કહ્યું

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શનિવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ પહોંચ્યા હતા. અહીં તેમણે બજરંગ દળ, ધર્માન્તરણ, વિનય કટિયાર અને સાઈ બાબાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ધર્માન્તરણ ધાર્મિક કારણથી નહીં, માત્ર રાજનૈતિક કારણોસર થઈ રહ્યું છે. એવા લોકો ઈચ્છે છે કે વિશ્વમાં માત્ર તેમના ધર્મના લોકો જ થઈ જશે. ધર્માન્તરણનો વિરોધ પણ ધાર્મિક કારણોથી થઈ રહ્યો નથી. એ પણ એક રાજનીતિના કારણે કરવામાં આવી રહ્યો છે.

તેમણે આગળ કહ્યું કે, કોઇની ધર્માન્તરણ કરીને રાજનીતિ સફળ થઈ રહી છે, તો કોઈ ધર્માન્તરણનો વિરોધ કરીને રાજનીતિ કરી રહ્યું છે. બધી વસ્તુ રાજનીતિ માટે થઈ રહી છે. ધર્મ માટે કશું જ થઈ રહ્યું નથી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વિનય કટિયારને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પહેલા રામ જન્મભૂમિમાં બજરંગ દળની મોટી ભૂમિકા હતી. વિનય કટિયાર તેના અધ્યક્ષ હતા, પરંતુ હવે રામ મંદિર બની રહ્યું છે તો વિનય કટિયારની ઉપેક્ષા થઈ રહી છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, અમે પૂછવા માગીએ છીએ કે, તેમની ઉપેક્ષા શા માટે થઈ રહી છે? તેનો અર્થ એ છે કે જે લોકો મંદિર બનાવી રહ્યા છે, એ જ લોકોએ તેમના યોગદાનને નકારી દીધું છે. સાઈ બાબા બાબતે શંકરાચાર્યએ કહ્યું કે, તેઓ ભારતના નાગરિક હતા, પોતાનું જીવન જીવ્યા અને જતા રહ્યા. ધર્મ ફૂટબોલ થઈ ગયો છે. કોઈ આ તરફથી કીક મારી રહ્યું છે તો કોઈ એ તરફથી. બજરંગ દળ એક સંસ્થાનું નામ છે. સંસ્થાનું નામ રાખવાથી કોઈ બજરંગબલિ થઈ જતું નથી. સંસ્થા જેવું કામ કરશે, એવી જ તેની છબી રહેશે.

એપ્રિલ મહિનામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સંતો દ્વારા હિન્દુ રાષ્ટ્રની માગ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારી હિન્દુ રાષ્ટ્રની કોઈ માગ નથી. અમે ક્યારેય કોઈ હિન્દુ રાષ્ટ્રની માગ કરી નથી. જ્યાં સુધી કોઈ ફોર્મેટ સામે આવતું નથી કે હિન્દુ રાષ્ટ્ર થયા બાદ આપણાં દેશમાં આપણાં વ્યવહારમાં શું અંતર આવશે, ત્યાં સુધી આપણે તેનું ન સમર્થન કરી શકીએ અને ન તો વિરોધ કરી શકીએ છીએ. તેમણે હિન્દુ રાષ્ટ્રને લઈને સવાલ પણ ઉઠાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.