નરેન્દ્રાનંદે આપી હિન્દુઓને 5 બાળકો પેદા કરવાની સલાહ, બોલ્યા-સનાતન ધર્મમાં..

દેશ-પ્રદેશના રાજકારણમાં હાલના દિવસોમાં સાધુ-સંતોની જોરદાર બોલબાલા જોવા મળી રહી છે. ભલે કેન્દ્ર અને રાજ્યની સરકાર કુટુંબ નિયોજનને લઈને તમામ નિયમ, કાયદા બનાવી ચૂકી હોય, પરંતુ હિન્દુત્વ જોખમમાં હોવાનો સંદર્ભ આપતા કેટલાક સાધુ-સંત હિન્દુઓને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે. હવે સુમેરુ પીઠના શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, હિન્દુઓએ ઓછામાં ઓછા 5 સંતાનોને પેદા કરવા જોઈએ.

શું બોલ્યા શંકરાચાર્ય?

શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીનું કહેવું છે કે, હિન્દુત્વ સતત જોખમમાં મુકાતું જઈ રહ્યું છે. દેશમાં 15 એવા રાજ્ય છે જ્યાં હિન્દુ લઘુમતી થઈ ગયા છે. એવામાં હવે આવશ્યકતા થઈ ગઈ છે કે હિન્દુ 5-5 સંતાનો પેદા કરે. સનાતનમાં ક્યારેય આપણે 2 અને આપણાં 2ની પરિકલ્પના નહોતી. જો એમ થાય છે તો રામ લક્ષ્મણ સાથે ભરત, શત્રુધ્ન ન હોત, અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જ આ પાવન ધરા પર ન થઈ શકતો. શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ ઇસ્લામ પર પણ પ્રહાર કર્યો.

તેમણે કહ્યું કે, આ દેશમાં ઇસ્લામ અને વક્ફ બોર્ડની કોઈ જરૂરિયાત નથી. સનાતન કાલે પણ હતો અને આગળ પણ રહેશે. જે પણ લોકો ધર્માંતરણ કરાવવામાં લાગ્યા છે એવા લોકો પર રાજદ્રોહનો કેસ નોંધાવો જોઈએ અને તેમની સંપત્તિ પણ સરકારને આધીન થવી જોઈએ. શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીના નિવેદન બાદ હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તેના પર સમજી વિચારીને નિવેદન આપી રહી છે.

ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાનું કહેવું છે સાધુ સંત જો કોઈ વાત કહે છે તો તેની પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. તેમણે સમજમાં આ પ્રકારની વસ્તુ જોઈ હશે એટલે તેમણે પોતાના પ્રવચનમાં આ વાત કહી છે. જો કે, આ તેમના અંગત વિચાર છે. ભાજપ ન તો તેનો વિરોધ કરે છે અને ન તો તેમના સમર્થનમાં ઊભી છે. કોંગ્રેસે શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીના નિવેદનના બહાને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો.

કોંગ્રેસના પ્રવક્તા આનંદ જાટનું કહેવું છે કે, જે સરકારોના રાજ્યમાં ધર્માંતરણ થઈ રહ્યું છે અને હિન્દુ લઘુમતી થઈ ગયા છે એવી સરકારો બદલવાનું કામ જનતાએ કરવું જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, વધતી મોંઘવારીમાં એક બાળકનું પાલન-પોષણ કરવાનું મુશ્કેલ છે એવામાં 5 બાળકોનું પાલન-પોષણ કેવી રીતે થશે. જો સરકાર મોંઘવારી અને બેરોજગારીને ઓછી કરી દે અને 5 બાળકોને પેદા કરવાનો કાયદો દેશમાં લાગૂ કરી દે તો તેમાં કોઈ આપત્તિ નહીં હોય.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.