‘મહારાષ્ટ્રમાં પણ મણિપુર જેવી થઇ શકે છે હાલત’, શરદ પવારે આવું કેમ કહ્યું

On

નવી મુંબઇના વાશીમાં આયોજિત સામાજિક એક્ય પરિષદના અવસર પર NCPના સંસ્થાપક શરદ પવારે મણિપુરમાં થયેલી ઘટનાઓની જેમ જ મહારાષ્ટ્રમાં પણ અશાંતિની આશંકા વ્યક્ત કરી છે. તેમણે મણિપુરની ઘટનાઓ પર ભાર આપ્યો, જ્યાં એક સમયે એકજૂથ રહેલા કુકી-મેતેઇ સમુદાય હવે અરાજકતા અને હિંસા પર ઊતરી આવ્યા છે. શરદ પવારે મણિપુરની હાલતની ગંભીરતાનો ઉલ્લેખ કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી, જ્યાં 2 સમુદાયો વચ્ચે પરસ્પર વિવાદોના કારણે મહિનાઓથી હિંસા થઇ રહી છે.

તેનું કારણ ઘણા ઘર તબાહ કરી દેવામાં આવ્યા, મહિલાઓનું ઉત્પીડન થયું અને ડઝનો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમણે સાંપ્રદાયિક સદ્ભાવની લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા પર ભાર આપ્યો અને કહ્યું કે, એક સમયે મણિપુરમાં જ્યાં 2 સમુદાય પરસ્પર રહેતા હતા, તેઓ હવે પરસ્પર વાતચીત કરવા પણ તૈયાર નથી. શરદ પવારે કહ્યું કે, મારી સાથે કોઇની વાતચીતમાં મણિપુરનો ઉલ્લેખ થયો નથી. દેશની સંસદમાં પણ તેના પર ચર્ચા થઇ. મણિપુરની વિભિન્ન જાતિઓ, ધર્મો, ભાષાઓના લોકો અમને મળવા દિલ્હી આવ્યા. આ તસવી શું કહે છે?

આ પ્રાંત, જે પેઢીઓથી એકજૂથ હતો, હવે અશાંત થઇ ગયો છે. 2 જનજાતિઓ વચ્ચે સંઘર્ષ થયો. ઘરોમાં આગ લગાવી દેવામાં આવી. ખેતરોને નષ્ટ કરી દેવામાં આવ્યા. મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. શરદ પવારે કહ્યું કે, મણિપુરી જે પેઢીઓથી એક સાથે રહ્યા, સદ્ભાવ બનાવી રાખ્યો, તેઓ આજે એક-બીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી. આજે જ્યારે કોઇ રાજ્ય પર એટલું મોટું સંકટ આવ્યું છે તો શાસકોની જવાબદારી છે કે તેઓ તેનો સામનો કરે. લોકોને વિશ્વાસ અપાવે. એકતા બનાવે, કાયદો અને વ્યવસ્થા બનાવી રાખે, પરંતુ દુર્ભાગ્યથી આજના શાસકોએ આ તરફ જોયું નહીં.

NCPના નેતા શરદ પવારે કહ્યું કે, આજે જે કંઇ થયું, ત્યારબાદ તેમણે ક્યારેય વિચાર્યું નહીં કે દેશના વડાપ્રધાને ત્યાં જઇને લોકોને રાહત આપવી જોઇએ. મણિપુરમાં એવું થયું. પાડોશી રાજ્યોમાં પણ એવું થયું. કર્ણાટકમાં પણ એવું જ જોવા મળ્યું અને હાલના દિવસોમાં ચિંતા છે કે મહારાષ્ટ્રમાં પણ એવું થઇ શકે છે. તેમણે કહ્યું કે, સારી વાત છે કે મહારાષ્ટ્ર પાસે ઘણા દિગ્ગજોનો વારસો છે, જેમણે સદ્ભાવ અને સમાનતાની દિશા આપી.

Related Posts

Top News

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

સમય મર્યાદા અને આત્મ-નિયંત્રણના પગલાં ઓનલાઈન ગેમિંગ વ્યસનની અસરોને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. IIT દિલ્હી અને AIIMS દ્વારા...
Lifestyle 
 IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજે તમને સત્તાધારી શક્તિનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati