શરદ પવાર NCP પ્રમુખ તરીકે જ રહેશે, રાજીનામું પાછું ખેંચ્યું, કારણ જણાવ્યું

NCPમાં પ્રમુખ પદને લઈને ચાલી રહેલી હલચલનો અંત આવ્યો છે. શરદ પવારે પોતાનું રાજીનામું પાછું લઈ લીધું છે. એટલે કે NCPના અધ્યક્ષ માત્ર શરદ પવાર જ રહેશે. આ અગાઉ, પાર્ટીની 18 સભ્યોની સમિતિએ રાજીનામું ફગાવી દીધું હતું. બેઠક દરમિયાન NCP કમિટીએ કહ્યું હતું કે, શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી.

શરદ પવારે કહ્યું કે 2 મે, 2023ના રોજ મારી આત્મકથા પુસ્તક 'લોક ભુલભૂલૈયા સંગતિ'ના વિમોચન પ્રસંગે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સેવાનિવૃત્તિ લેવાનો મારો નિર્ણય જાહેર કર્યો. જાહેર જીવનમાં 63 વર્ષની લાંબી સેવા બાદ પદ છોડવું એ મારો પોતાનો નિર્ણય હતો. પરંતુ મારા આ નિર્ણયથી લોકોમાં મજબૂત લાગણીઓ પેદા કરી.

તેમણે કહ્યું કે, મારો નિર્ણય સાંભળીને પાર્ટી કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને મારા સાથીદારો નિરાશ થયા છે. મારા તમામ શુભેચ્છકોએ એક અવાજે મને મારા નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી. તે જ સમયે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, મારા સાથીદારો અને દેશભરના અને ખાસ કરીને મહારાષ્ટ્રના શુભેચ્છકોએ મને મારો નિર્ણય બદલવા માટે સમજાવ્યો.

પવારે કહ્યું કે, તમામ દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને અને સમિતિના નિર્ણયને માન આપીને હું રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું. હું કાર્યકર્તાઓનો અનાદર કરી શકું એમ નથી ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. રાહુલ ગાંધી, સીતારામ યેચુરી અને અન્ય ઘણા લોકોએ કહ્યું કે વિપક્ષની એકતા માટે મારી હાજરી જરૂરી છે.

અજિત પવારના પ્રેસ કોન્ફરન્સમાં ન હોવાના સવાલ પર તેમણે કહ્યું કે, દરેક જણ PCમાં નથી આવતા. અજિત પવાર સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઠરાવ પસાર કરવામાં સામેલ હતા. મેં મારા સાથીદારોને વિશ્વાસમાં લીધા નહોતા, કારણ કે મને લાગતું હતું કે તેઓ મને તે કરવા દેશે નહીં. પ્રતિભાવ જોઈને મેં મારો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આખી ટીમ સક્ષમ છે. તેમને તક આપવા માટે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.