કોર કમિટીએ શરદ પવારનું રાજીનામું કર્યું નામંજૂર, એક કાર્યકર્તાએ આત્મહત્યા..

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની કાર્ય સમિતિની બેઠક આજે થઈ હતી, જેમાં શરદ પવારના રાજીનામાને નામંજૂર કરવામાં આવ્યું છે. બેઠકમાં NCPની કોર કમિટીના પાર્ટી પ્રમુખ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખવાનો અનુરોધ કરતા એક પ્રસ્તાવ પાસ કર્યો છે. શરૂઆતથી જ પાર્ટીના વરિષ્ઠ નેતા સહિત સામાન્ય કાર્યકર્તા શરદ પવારને રાજીનામું પાછું લેવાનો આગ્રહ કરી રહ્યા છે, પરંતુ શરદ પવારે સ્પષ્ટ રૂપે રાજીનામું પાછું લેવાની ના પાડી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાર્ટી હેડક્વાર્ટર બહાર એક કાર્યકર્તાએ પોતાના પર કેરોસિન નાખીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પાર્ટીની બેઠક સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે કહ્યું કે, શરદ પવારજીએ 2 મેના રોજ અચાનક પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી. તેમણે આગામી કાર્યવાહી માટે અને નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટે પાર્ટી નેતાઓની એક સમિતિની રચના કરી હતી. આજે અમે સમિતિની બેઠક કરી. મારા સહિત ઘણા નેતાઓએ પવાર સાહેબ સાથે મુલાકાત કરી અને અમે તેમને સતત પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો કેમ કે આ સમયે દેશ અને પાર્ટીને તેમની જરૂરિયાત છે.

ન માત્ર NCP નેતાઓએ, પરંતુ પ્રતિષ્ઠિત હસ્તીઓએ પણ તેમને પાર્ટી પ્રમુખ બન્યા રહેવાનો અનુરોધ કર્યો છે. એ સિવાય તેમણે કહ્યું કે, પવાર સાહેબે અમને કહ્યા વિના નિર્ણય લઈ લીધો. પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓની બધી માગો પર વિચાર કરતા અમે આજે બેઠક કરી અને સમિતિએ સર્વસંમતીથી એક પ્રસ્તાવ પાસ કર્યો છે. સમિતિ સર્વસંમતીથી આ રાજીનામાને ફગાવે છે અને અમે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પર બન્યા રહેવાનો અનુરોધ કરીએ છીએ.

પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે શરદ પવારે 18 સભ્યોની સમિતિની રચના કરી હતી, આ સમિતિમાં પ્રફુલ પટેલ, અનુલ તટકરે, પી.સી. ચાકો, નરહરિ જિરવાલ, અજીત પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટિલી, છગન ભુજબલ, દીલિપ વાલસે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ અને પાર્ટીના ફ્રન્ટલ સેલના પ્રમુખ સામેલ છે. મુંબઇમાં પાર્ટી કાર્યાલય બહાર NCP પ્રમુખ શરદ પવારના સમર્થનમાં નારેબાજી કરી. ઉલ્લેખનીય છે કે, 2 મેના રોજ શરદ પવારે મુંબઇમાં પોતાની આત્મકથા ‘લોક માઝે સાંગતી’ના નવા એડિશનના વિમોચન કાર્યક્રમમાં NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.