ગુજરાત દંગા પર ચર્ચાનો ફાયદો નથીઃ BBC ડોક્યુમેન્ટ્રી વિવાદ પર બોલ્યા થરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBC ડોક્યુમેન્ટ્રીના વિવાદ પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે શનિવારે મૌન તોડ્યું. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય પણ દેશના લોકોને 2002ના ગુજરાત દંગાઓથી આગળ વધવા માટે નથી કહ્યું. થરૂરે કહ્યું કે, ગુજરાત દંગાના જખ્મો હજુ રુઝાયા નથી પરંતુ, એ વાત પર ભાર આપ્યો કે આ મુદ્દા પર ચર્ચા કરવાનો કોઈ ફાયદો નહીં થશે કારણ કે, સુપ્રીમ કોર્ટ આ મામલામાં પેહલા જ આદેશ સંભળાવી ચુકી છે. તેને બદલે આપણે તેના કરતા મોટા સમકાલીન મામલાઓ પર વાત કરવાની જરૂર છે.

એક ઓનલાઈન સમાચાર પોર્ટલ સાથે વાત કરતા પહેલા તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, ભારત આ ત્રાસદી કરતા આગળ વધી ગયુ છે અને લોકોએ આ મામલાથી આગળ વધવુ જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાને બે દાયકા વીતી ચુક્યા છે અને સર્વોચ્ચ કોર્ટે પણ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જોકે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેઓ એ લોકો પર આક્ષેપ નથી લગાવી રહ્યા જેઓ માને છે કે આધિકારીક તપાસથી સમગ્ર સત્ય સામે નથી આવ્યું.

થરૂરની ટિપ્પણીઓએ કેટલાક વર્ગોમાં નારાજગી પેદા કરી દીધી છે કારણ કે, તેમણે ઔપનિવેશિક શાસન માટે અંગ્રેજો પાસેથી તેમની ક્ષતિપૂર્તિ માંગોને ઉજાગર કરી. અશોક સિંહ ગરચા નામના એક ટ્વિટ યુઝરે કહ્યું, શશિ થરૂરે 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે બ્રિટિશ સરકાર પાસે માફીની માંગણી કરી. જ્યારે, કાલે તેમણે ભારતીયોને 2002ના ગુજરાત નરસંહારથી આઘળ વધવા માટે કહ્યું. તેના પર શશિ થરૂરે જવાબ આપ્યો, મેં આવુ નથી કહ્યું. થરૂરે કહ્યું, મેં વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે મારું માનવુ છે કે ગુજરાતના ઝખ્મો સંપૂર્ણરીતે રુઝાયા નથી પરંતુ, એ જોતા કે સુપ્રીમ કોર્ટ તેના પર અંતિમ નિર્ણય સંભળાવી ચુકી છે, આપણને આ મુદ્દા પર ચર્ચા કરવાથી ઓછો લાભ થશે.

થરૂરે આગળ કહ્યું, હું સ્વીકાર કરું છું કે અન્ય લોકો મારા વિચાર સાથે અસહમત હોઈ શકે છે પરંતુ, સાંપ્રદાયિક મુદ્દાઓ પર મારા વિચાર ચાર દાયકાના રેકોર્ડ અને ગુજરાત દંગા પીડિતો માટે ઊભા થવાના બે દાયકાઓના રેકોર્ડને વિકૃત કરવા સમાન છે. તે દુર્ભાવનાપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ હેડિંગવાળી BBC ડોક્યુમેન્ટ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકાની ટીકા પર આધારિત છે. તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, જ્યારે સાંપ્રદાયિક હિંસાએ 1000 કરતા વધુ લોકોને મારી નાંખ્યા. તેમા મોટાભાગના મુસ્લિમ હતા. બે ભાગવાળી આ ડોક્યુમેન્ટ્રીના પ્રસારણ પર ભારતમાં પ્રતિબંધ છે. કેન્દ્ર સરકારે ગત અઠવાડિયે તેને બ્લોક કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.