40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા શિવમનું 5 કલાક દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો

બિહારના નાલંદા સ્થિત કુલ ગામમાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા 3 વર્ષના શિવમને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. કેટલાક કલાકોની જહેમત બાદ ટીમને સફળતા મળી હતી. બહાર આવતાં જ મેડિકલ ટીમે બાળકનું ચેકઅપ કર્યું હતું. બિહારના નાલંદાના NDRF અધિકારી રણજીત કુમારે જણાવ્યું કે, બાળક ઠીક છે અને તેને બચાવી લેવામાં આવ્યો છે. તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેને બચાવવામાં અમને લગભગ 5 કલાક લાગ્યા.

બાળકને તાત્કાલિક ત્યાં હાજર એમ્બ્યુલન્સમાં પાવાપુરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પહેલેથી જ ડોક્ટરોની ટીમ તૈયારી કરી રાખી હતી. તેના માતા-પિતા તેની સાથે ગયા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શિવમ સુરક્ષિત છે અને જવાબ આપી રહ્યો છે.

અગાઉ લોકોએ જણાવ્યું હતું કે બાળક માતાની પાછળ પાછળ ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો અને તે બોરવેલમાં પડી ગયો. આ બોરવેલ 40 ફૂટ ઊંડો છે અને તેમાંથી બાળકની ચીસોનો અવાજ આવી રહ્યો હતો.

આ વાત આસપાસના વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા અને પોલીસ-પ્રશાસનને માહિતી આપવામાં આવી. માહિતી મળતા જ પોલીસની ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તરત જ JCB બોલાવીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિસ્થિતિને જોતા NDRF અને SDRFની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે બોરવેલની અંદર બાળકને ઓક્સિજન પહોંચાડ્યો અને કેમેરા દ્વારા તેનું નિરીક્ષણ કર્યું.

લોકોએ જણાવ્યું કે, ગામમાં સિંચાઈ માટે બોરવેલ ખોદવામાં આવી રહ્યો હતો, જેમાં બાળક પડી ગયું. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. બાળકની માતાએ કહ્યું કે, તે ખેતરમાં કામ કરી રહી હતી, બાળક ત્યાં રમી રહ્યો હતો. અચાનક તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડી ગયો. હવે બચાવ બાદ પીડિત પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની જાણકારી મળતાં નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમાર પણ પહોંચ્યા હતા. અહીં તેમણે બચાવ કામગીરીની સમીક્ષા કરી અને પીડિત પરિવારને મદદની ખાતરી આપી.

દેશમાં બોરવેલમાં નિર્દોષ બાળકો ફસાયા હોવાની ઘણી ઘટનાઓ બની છે, પરંતુ તેના નિવારણ માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર બિહાર જ નહીં પરંતુ દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ બાળકો બોરવેલમાં પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે ઘણા કિસ્સામાં બાળકોના જીવ બચી ગયા છે પરંતુ કેટલાક બાળકોને બચાવી શકાયા નથી.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.