40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા શિવમનું 5 કલાક દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો

બિહારના નાલંદા સ્થિત કુલ ગામમાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા 3 વર્ષના શિવમને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. કેટલાક કલાકોની જહેમત બાદ ટીમને સફળતા મળી હતી. બહાર આવતાં જ મેડિકલ ટીમે બાળકનું ચેકઅપ કર્યું હતું. બિહારના નાલંદાના NDRF અધિકારી રણજીત કુમારે જણાવ્યું કે, બાળક ઠીક છે અને તેને બચાવી લેવામાં આવ્યો છે. તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેને બચાવવામાં અમને લગભગ 5 કલાક લાગ્યા.

બાળકને તાત્કાલિક ત્યાં હાજર એમ્બ્યુલન્સમાં પાવાપુરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પહેલેથી જ ડોક્ટરોની ટીમ તૈયારી કરી રાખી હતી. તેના માતા-પિતા તેની સાથે ગયા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શિવમ સુરક્ષિત છે અને જવાબ આપી રહ્યો છે.

અગાઉ લોકોએ જણાવ્યું હતું કે બાળક માતાની પાછળ પાછળ ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો અને તે બોરવેલમાં પડી ગયો. આ બોરવેલ 40 ફૂટ ઊંડો છે અને તેમાંથી બાળકની ચીસોનો અવાજ આવી રહ્યો હતો.

આ વાત આસપાસના વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા અને પોલીસ-પ્રશાસનને માહિતી આપવામાં આવી. માહિતી મળતા જ પોલીસની ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તરત જ JCB બોલાવીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિસ્થિતિને જોતા NDRF અને SDRFની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે બોરવેલની અંદર બાળકને ઓક્સિજન પહોંચાડ્યો અને કેમેરા દ્વારા તેનું નિરીક્ષણ કર્યું.

લોકોએ જણાવ્યું કે, ગામમાં સિંચાઈ માટે બોરવેલ ખોદવામાં આવી રહ્યો હતો, જેમાં બાળક પડી ગયું. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. બાળકની માતાએ કહ્યું કે, તે ખેતરમાં કામ કરી રહી હતી, બાળક ત્યાં રમી રહ્યો હતો. અચાનક તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડી ગયો. હવે બચાવ બાદ પીડિત પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની જાણકારી મળતાં નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમાર પણ પહોંચ્યા હતા. અહીં તેમણે બચાવ કામગીરીની સમીક્ષા કરી અને પીડિત પરિવારને મદદની ખાતરી આપી.

દેશમાં બોરવેલમાં નિર્દોષ બાળકો ફસાયા હોવાની ઘણી ઘટનાઓ બની છે, પરંતુ તેના નિવારણ માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર બિહાર જ નહીં પરંતુ દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ બાળકો બોરવેલમાં પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે ઘણા કિસ્સામાં બાળકોના જીવ બચી ગયા છે પરંતુ કેટલાક બાળકોને બચાવી શકાયા નથી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.