સત્તાધારી પાર્ટી પર અખિલેશ યાદવનો પ્રહાર-ભાજપવાળા લોકો અમને શુદ્ર માને છે

સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપવાળા લોકો અમને શુદ્ર માને છે. અમે તેમની નજરમાં ક્ષુદ્રથી વધારે કશું જ નથી. ભાજપને એ પરેશાની છે કે અમે સંત-મહાત્માઓ પાસે આશીર્વાદ લેવા કેમ કઇ રહ્યા છીએ. અખિલેશ યાદવ લખનૌમાં ગોમતી નદીના કિનારે મા પીતામ્બરા મંદિરમાં ચાલી રહેલા મા પીતામ્બરા 108 મહાયજ્ઞમાં સામેલ થવા પહોંચ્યા હતા.

આ દરમિયાન અખિલેશ યાદવનો હિન્દુ મહાસભા, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) સાથે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને ખૂબ નારેબાજી કરી હતી. સાથે જ અખિલેશ યાદવને કાળા વાવટા દેખાડ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે અહીં ગુંડા મોકલ્યા હતા, ભાજપ ધર્મની ઠેકેદાર નહીં હોય શકે. ભાજપના ગુંડાઓએ અમારા પર હુમલો કર્યો. તેના માટે પ્રશાસને પહેલા જ અહીંથી પોલીસ અને PAC હટાવી લીધી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ભાજપના લોકો યાદ રાખે કે તેમના માટે પણ આ જ પ્રકારની વ્યવસ્થા થશે.

અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપના લોકો કોઇ સાથે કોઇ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરી શકે છે. આજે હું સમજી શકું છું કે મારી NSG કેમ હટાવવામાં આવી. સિક્યોરિટી કેમ ઓછી કરવામાં આવી. તેમણે સાથે જ એમ પણ કહ્યું કે, મેં સ્વામી પ્રસાદ મૌર્યને કહ્યું કે, જાતિગત વસ્તી ગણતરીના મુદ્દા પર આગળ વધે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, આજે પણ કેટલાક લોકો મંદિર પ્રવેશનો અધિકાર દરેકને આપવા માગતા નથી. હકીકત તો એ છે કે જે કોઇને મંદિર જતા રોકી શકે, તેઓ અધર્મી છે કેમ કે તેઓ ધર્મના માર્ગમાં બાધા બની રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, અત્યારે પણ ગુંડા મારી પાછળ ફરી રહ્યા છે, પરંતુ અમે સમાજવાદી લોકો છીએ. ગુંડાઓથી ગભરાવાના નથી. ભાજપના લોકો દલિતને શુદ્ર માને છે. ભાજપના લોકો અમને બધાને શુદ્ર માને છે. ભાજપના લોકોને એ વાતની પરેશાની છે કે અમે ગુરુ અને સંતો પાસે આશીર્વાદ લેવા શા માટે જઇ રહ્યા છીએ. અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્ય સાથે કરેલી મુલાકાતને લઇને પણ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, મેં સ્વામી પ્રસાદ મૌર્યને કહ્યું કે, તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીને લઇને આંદોલનમાં આગળ વધે. જો કે, અખિલેશ યાદવે રામચરિતમાનસને લઇને સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર કશું જ ન કહ્યું. અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્યને મળવા માટે લખનૌ સ્થિત કાર્યાલયમાં બોલાવ્યા હતા. અખિલેશ યાદવ અને સ્વામી પ્રસાદ મૌર્યની આ મુલાકાત ઘણા સમય સુધી ચાલી હતી. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે સ્વામી પ્રસાદ મૌર્યના રામચરિતમાનસ પર નિવેદનને લઇને અખિલેશ તેમનાથી નારાજ છે, પરંતુ સ્વામી પ્રસાદ મૌર્યને તેનું ખંડન કર્યું. સાથે જ કહ્યું કે, અખિલેશ યાદવ સાથે તેમની જાતિગત વસ્તીગણતરી સહિત કેટલાક મુદ્દો પર વાત થઇ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.