ભાજપના મંત્રીનું સ્ફોટક નિવેદન, પૂર્વ CM સિદ્ધારમૈયાને ખતમ કરી દેવા જોઇએ

કર્ણાટકના કેબિનેટ મંત્રી ડો. સી.એન. અશ્વથ નારાયણ વિપક્ષ નેતા સિદ્ધારમૈયા વિશે નિવેદન આપીને વિવાદમાં આવી ગયા છે. એ પછી કર્ણાટક વિધાનસભામાં હંગામો અને કોંગ્રેસના જોરદાર પ્રદર્શન પછી ભાજપના કેબિનેટ મંત્રી બેકફૂટ પર આવી ગયા હતા અને માફી માંગીને વિવાદ સમાપ્ત કરવાની વિનંતી કરી હતી.મંત્રીના નિવેદન પર સિદ્રારમૈયાએ કહ્યું હતું કે, બંદુક લઇને તમે જ મારી સામે આવી જાઓ.

કર્ણાટક સરકરામાં મંત્રી ડો.સી. એન. અશ્વથ નારાયણે માંડ્યા જિલ્લાના સતનૂર માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિવાદીત નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા મૈસુરના પૂર્વ શાસક ટીપુ સુલતાનના સ્થાન પર આવશે. શું તમે વીરસાવરકરને ઇચ્છો છો કે ટીપુ સુલતાનને? એ નિર્ણય તમારે કરવો પડશે. મંત્રીએ આગળ કહ્યું કે, ટીપુ સુલતાન સાથે લડનારા સૈનિકો ઉરી ગૌડા અને નાનજે ગૌડાએ ટીપુ સુલતાન સાથે શું કર્યું હતું એ બધાને ખબર જ છે. એવી જ રીતે સિદ્ધારમૈયાને પણ ખતમ કરી નાંખવા જોઇએ. આ નિવેદનથી કર્ણાટકના રાજકારણમાં ભડકો થઇ ગયો.

મંત્રીના નિવેદન પર સિદ્ધારમૈયાએ કહ્યું કે મૈસુરના શાસક ટીપુ સુલતાનની જેમ મને પણ ખતમ કરવાનું ડો, સી.એન અશ્વથ નારાયણે આહવાન કર્યું છે. આ વાતથી મને જરા પણ અચરજ નથી, આપણે એ નેતાઓ પાસેથી પ્રેમ, સહાનુભૂતુ, દોસ્તીને અપેક્ષા કેવી રીતે રાખી શકીએ જે પાર્ટી મહાત્મા ગાંધીના હત્યારાનું સન્માન કરતી હોય.તેમણે કહ્યુ કે મંત્રી અશ્વથને તાત્કાલિક કેબિનેટમાંથી હટાવી દેવા જોઇએ.

મંત્રી સામે બે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા મનોહરે પોલીસમાં ફરિયાદ નોંધાવીને મંત્રી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. તો સિદ્ધારમૈયા ફેન્સ એસોસિયેશને પણ પોલીસ ફરિયાદ કરી છે અને તાત્કાલિક કાર્યવાગી કરવાની માંગ કરી છે. પોલીસે બંને ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.

મંત્રી અશ્વથના નિવેદનને પગલે કોંગ્રેસે કર્ણાટક વિધાનસભામાં જબરદસ્ત હંગામો મચાવ્યો જેને કારણે સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. મંત્રી અસ્વથે પોતાના નિવેદન પર ખેદ વ્યકત કર્યો હતો.

પોતાના બચાવમાં મંત્રીએ કહ્યું કે તેમણે માત્ર સિદ્ધારમૈયાની તુલના ટીપુ સુલતાન સાથે કરી હતી. મેં માત્ર ટીપુ સુલતાન પ્રત્યે સિદ્ધારમૈયાના પ્રેમ વિશે વાત કરી હતી. મેં તેમના વિશે કોઇ અપમાનજનક ટીપ્પણીકરી નથી. મારી તેમની સાથે કોઇ વ્યકિતગત દુશ્મની નથી. આમ છતા તેમની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું એમ મંત્રીએ કહ્યું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.