ઔરંગઝેબ નહીં, હવે APJ અબ્દુલ કલામ હશે આ રસ્તાનું નવું નામ, જુઓ વીડિયો

લુટિયન્સ દિલ્હીમાં ઉપસ્થિત ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે સવારે અધિકારીઓએ નવું બોર્ડ લગાવી દીધું. નવી દિલ્હી નગરપાલિકા પરિષદે ગયા અઠવાડિયે બોલાવેલી એક વિશેષ બેઠકમાં આ બદલાવને સર્વસંમતીથી મંજૂરી આપવામાં આવી હતી. ડૉ. APJ અબ્દુલ કલામ લેન એ જગ્યા પર સ્થિત છે જે એક સમયે ઔરંગઝેબ લેન થયા કરતો હતો, પરંતુ વર્ષ 2015માં આ નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દેવામાં આવ્યો હતો.

જો કે, એ સમયે લેનના મૂળ નામને યથાવત રાખવામાં આવ્યું હતું. ‘ઐતિહાસિક ચિંતાઓ’ના કરણે NDMCએ નામ બદલવા અગાઉ આ સ્થળની ફરી મુલાકાત લીધી હતી. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે જાહેરાત કરી કે 17મી સદીના મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે જોડાયેલી ઐતિહાસિક ભૂલોને આ રોડની નવી ઓળખ માટે અનુચિત માનવામાં આવી છે. તેમણે આગળ જાહેરાત કરી કે ક્ષેત્રના સમકાલીન સંદર્ભમાં ઔરંગઝેબની કોઈ પ્રાસંગિકતા કે સ્થાન નથી.

એક નિવેદનમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે, નવી દિલ્હી નગરપાલિકા અધિનિયમ 1994ની કલમ 231ની પેટાકલમ (1)ના ખંડ (A)ના સંદર્ભમાં NDMC ક્ષેત્ર અંતર્ગત ઔરંગઝેબ લેન’નું નામ બદલીને ‘ડૉ APJ અબ્દુલ કલામ લેન’ કરવા પર વિચાર કરવા માટે પરિષદ સમક્ષ એક એજન્ડા રાખવામાં આવ્યા. પરિષદે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ લેન કરવાને મંજૂરી આપી દીધી. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલમને મિસાઇલ અને અંતરીક્ષ ટેક્નોલોજીના કાર્યક્રમોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે દેશના ‘મિસાઇલ મેન’ કહેવામાં આવે છે.

તો રોડનું નામ બદલવાથી એક બહેસ શરૂ થઈ ગઈ છે. ઔરંગઝેબ રોડનું નામ બદલાવાના વર્ષ 2015ના નિર્ણયની કેટલાક ઇતિહાસકારોએ નિંદા કરી હતી. તેમણે તર્ક આપ્યો કે, આ ઇતિહાસનો ઝુકાવપૂર્ણ દૃષ્ટિકોણ’ દર્શાવે છે અને તેના અભૂતપૂર્વ પરિણામ હોય શકે છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર નારાયણી ગુપ્તાએ કહ્યું કે, નામ બદલવાની કવાયત ઈતિહાસની સમજની કમીના કારણે છે. અકબર અને શાહજહાં જેવા મુઘલ શાસકોના નામ પર રાખવામાં આવેલા રસ્તાઓના નામ શરૂઆતમાં નવી દિલ્હીની ડિઝાઇન દરમિયાન અંગ્રેજોએ રાખ્યા હતા.

આ નામ જેનામાં અશોક જેવા સન્માનિત શાસક પણ સામેલ હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર પર્સીવલ સ્પિયર દ્વારા સૂચવવામાં આવ્યા હતા, જે એ સમયે દિલ્હીની સેંટ સ્ટિફન્સ કોલેજમાં ઇતિહાસ ભણાવતા હતા. ગુપ્તે ત્યારે તર્ક આપ્યો હતો કે, ઐતિહાસિક સંદર્ભ પર વિચાર કર્યા વિના ઔરંગઝેબ જેવા ઐતિહાસ રૂપે મહત્ત્વપૂર્ણ નામોને હટાવવામાં આવ્યા છે. તેમણે ડૉ. APJ અબ્દુલ કલમના નામ પર એક સાયન્સ મ્યૂઝિયમની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.