ભારતનું એવું રેલવે સ્ટેશન, જ્યાંથી પગપાળા જ વિદેશ જઇ શકાય છે

દેશમાં એવા ઘણા રેલવે સ્ટેશન છે, જે પોતાની ઘણી વિશેષતાઓ માટે જાણીતા છે. કોઈ રેલવે સ્ટેશન પોતાના સૌથી મોટા પ્લેટફોર્મ માટે પ્રસિદ્ધ છે, તો કેટલાક રેલવે એવા છે જે પોતાની સ્વચ્છતા માટે આખી દુનિયામાં ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલનું અંતિમ રેલવે સ્ટેશન કયું છે. આમ તો તેની બાબતે ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ કેટલાક એવા સ્ટેશન છે જે દેશના એકદમ અંતિમ છેવાડે ઉપસ્થિત છે. જ્યાંથી તમે ખૂબ સરળતાથી વિદેશ યાત્રા કરી શકો છો.

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું કયું રેલવે સ્ટેશન છે, જ્યાંથી પગપાળા પણ બીજા દેશ સુધી પહોંચી શકાય છે. બિહારમાં એક એવું રેલવે સ્ટેશન છે, જે નેપાળથી ખૂબ નજીક છે. મતલબ અહીથી ઉતરીને તમે પગપાળા પણ તરત જ ટ્રીપ કરી શકો છો.  આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જિલ્લામાં સ્થિત છે. અરરિયા જિલ્લામાં સ્થિત આ રેલવે સ્ટેશનનું નામ જોગબની સ્ટેશન છે, જેને દેશના અંતિમ સ્ટેશનના રૂપમાં જોવામાં આવે છે.

અહીથી નેપાળની દૂરી નજીવી રહી જાય છે. આ દેશ અહીથી એટલો નજીક પડે છે કે લોકો પગપાળા પણ પહોંચી શકે છે. સારી વાત તો એ છે કે નેપાળ જવા માટે ભારતના લોકોને વિઝા કે પાસપોર્ટની પણ જરૂરિયાત હોતી નથી. એટલું જ નહીં, આ સ્ટેશનથી તમે પોતાના હવાઈ જહાજનો ખર્ચ પણ બચાવી શકો છો.

પશ્ચિમ બંગાળની સિંહાબાદ સ્ટેશન પણ દેશનું અંતિમ સ્ટેશન માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ્યાંથી દેશની સમુદ્રી સીમા શરૂ થાય છે, ત્યારનું એક સ્ટેશન પણ દેશનું અંતિમ સ્ટેશન કહેવામાં આવે છે.પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં બનેલા સિંહાબાદ સ્ટેશન ભારતનું અંતિમ સીમાંત સ્ટેશન છે. કોઈ સમયમાં આ સ્ટેશન કોલકાતા અને ઢાકા વચ્ચે સંપર્ક સ્થાપિત કરે છે. અહીથી ઘણા યાત્રી ટ્રેનથી થઈને પસાર થાય છે, પરંતુ આજના સમયમાં આ સ્ટેશન એકદમ વિરાન છે. અહી કોઈ પણ યાત્રી માટે કોઈ ટ્રેન રોકાતી નથી, આ જ કારણે આ જગ્યા એકદમ વિરાન રહે છે. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ માત્ર માલગાડીઓના ટ્રાન્ઝિટ માટે હોય છે.

સિંહાબાદ રેલવે સ્ટેશન આજે પણ અંગ્રેજોના સમયનું છે. અહી આજે પણ તમને કાર્ડબોર્ડની ટિકિટ નજરે પડશે, જે હવે કોઈ પણ રેલવે સ્ટેશન પર નજરે પડતી નથી. એ સિવાય સિગ્નલ, સંચાર અને સ્ટેશન સાથે જોડાયેલા બધા ઉપકરણ, ટેલિફોન અને ટિકિટ પણ બધુ અંગ્રેજોના સમયના સમયના છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.