સીતારામ યેચુરીએ UCCને ગણાવ્યું સાંપ્રદાયિક હથિયાર, બોલ્યા-મુસ્લિમો વિરુદ્ધ...

આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ચાલી રહેલી દલિલો વચ્ચે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એટલે કે CPIMએ કોઝિકોડમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ દરમિયાન CPIMએ યુનિફોર્મ સિવિલ કોડને સાંપ્રદાયિક હથિયાર ગણાવ્યો. આ સેમિનારની શરૂઆત પાર્ટી મહાસચિવ સીતારામ યેચુરીએ શનિવારે (15 જુલાઇના રોજ) કરી હતી. જેમાં મોટી સંખ્યામાં પાર્ટી નેતાઓ, મંત્રીઓ, ધાર્મિક નેતાઓએ હિસ્સો લીધો હતો.

સેમિનારને એક મહત્ત્વપૂર્ણ પહેલ બતાવતા કહ્યું કે, CPIM એ નથી માનતી કે એકરૂપતા જ સમાન છે. પાર્ટી ન માત્ર પુરુષો અને મહિલાઓની રુચિ, પરંતુ જાતિ, પંથ અને લિંગના આધાર પર પણ સમાન અધિકારોની વકીલાત કરે છે. એ આવશ્યક છે કે કોઈ પણ સમુદાય કે વર્ગમાં વ્યક્તિગત કે પ્રથાગત કાયદામાં કોઈ પણ સુધાર વિશિષ્ટ સમુદાયોના પરામર્શથી અને બધાની લોકતાંત્રિક ભાગીદારી સાથે કરવો જોઈએ.

યુનિફોર્મ સિવિલ કોડ એક નારો છે, જે સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવા માટે છે, ન કે વાસ્તવમાં કોઈ એકરૂપતા હાંસલ કરવા માટે. વડાપ્રધાને કહ્યું કે, એક ઘરમાં બે કાયદા નહીં હોય શકે. આ બે કાયદા શું છે? એવા ઘણા અલગ-અલગ કાયદા છે જે આપણાં સંવિધાન દ્વારા માન્ય છે. જ્યારે તેઓ કહે છે કે બે કાયદા નહીં હોય શકે તો એ ખૂબ સ્પષ્ટ છે કે તેઓ વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીને જોતા મુસ્લિમ સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવાની એક કવાયત છે.

સીતારામ યેચુરીએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા, લવ જિહાદ કાયદો, ગૌરક્ષા નિયમ અને નાગરિક સંશોધન અધિનિયમના ઉદાહરણનો સંદર્ભ આપતા કહ્યું કે, આ બધા નિર્ણયોમાં દેશની મુસ્લિમ વસ્તીને ટારગેટ કરવામાં આવી છે. એટલે એ શંકા છે કે યુનિફોર્મ સિવિલ કોડનો ઉપયોગ સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે કરવામાં આવશે. ભાજપના રાજમાં છેલ્લા દશકમાં થયેલી ઘટનાઓના સંદર્ભમાં હજુ મજબૂત થઈ ગયું.

તેમણે યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું પણ આહ્વાન કર્યું. સેમિનારમાં લગભગ બધા વક્તાઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશની વિવિધાતાને નષ્ટ કરવા, લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર હુમલો કરવા અને હિન્દુત્વ વિચારધારાને થોપવાનો આરોપ લગાવ્યો. સીતારામ યેચુરીએ કહ્યું કે, ભેદભાવપૂર્ણ કાયદાઓને આખા સમુદાયના પરામર્શથી સારા કરવા જોઈએ, ન કે ઉપરથી યુનિફોર્મ સિવિલ કોડ સોંપીને. 21મી વિધિ આયોગે એ સ્પષ્ટ કરી દીધું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ આ સ્તર પર ન તો આવશ્યક છે અને ન તો વાંછનીય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.