40 લાખ મહિલાને સ્માર્ટફોન અપાશે, 3 વર્ષ માટે મફત ઇન્ટરનેટ:CM ગેહલોતની જાહેરાત

રાજસ્થાનના CM અશોક ગેહલોતે રાજ્યની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. CM ગેહલોતે સોમવારે ઉદયપુરમાં જનસભાને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. સ્માર્ટફોન આપવાની જાહેરાત કરતા CM ગેહલોતે કહ્યું કે, અમારી સરકારે બજેટમાં જાહેરાત કરી હતી, હવે તે પૂરી કરવા જઈ રહી છે. આ દરમિયાન CM ગેહલોતે કહ્યું કે, પ્રથમ તબક્કામાં 40 લાખ મહિલાઓને સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે.

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના CM ગેહલોત એક સાથે અનેક યોજનાઓની જાહેરાત કરી રહ્યા છે. આ ક્રમમાં CM ગેહલોતે રાજસ્થાનની મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજસ્થાન સરકાર રાજ્યની 40 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપશે. ઉદયપુર કિસાન મહોત્સવમાં CM ગેહલોતે આ જાહેરાત કરી હતી.

રાજસ્થાનના CM અશોક ગેહલોત સોમવારે ઉદયપુરમાં કિસાન મહોત્સવમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન CM ગેહલોતે રાજસ્થાન સરકારની અનેક યોજનાઓ વિશે વાત કરી. આ સાથે CM ગેહલોતે મહિલાઓને સ્માર્ટફોન આપવાની વાત પણ કરી હતી. સ્માર્ટફોનના વિતરણની તારીખની જાહેરાત કરતા CM ગેહલોતે કહ્યું કે, 25 જુલાઈથી પહેલા તબક્કાના સ્માર્ટફોન વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રથમ તબક્કામાં લગભગ 40 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે.

મહિલાઓને મફતમાં સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા પછી CM ગેહલોતે કહ્યું કે, રાજ્યની પ્રથમ તબક્કામાં લગભગ 40 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે, અને આ મહિલાઓને 3 વર્ષ માટે મફત ઈન્ટરનેટ પણ આપવામાં આવશે. આની જાહેરાત કરતી વખતે CM અશોક ગેહલોતે સ્માર્ટફોનના ફાયદાઓની યાદી પણ આપી હતી. CM ગેહલોતે કહ્યું કે, હાથમાં મોબાઈલ આવવાથી પ્રિયજનો સાથે સંપર્ક સાધવો સરળ બને છે, સાથે જ માહિતી એકત્ર કરવામાં પણ ખુબ જ સરળતા રહે છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. CM ગેહલોત સતત રાજ્યના પ્રવાસે છે અને વિવિધ સ્થળોએ જાહેર સભાઓ કરી રહ્યા છે.

CM ગેહલોત સોમવારે ઉદયપુરના બલિચામાં ગૌણ માર્કેટ કોમ્પ્લેક્સમાં આયોજિત વિભાગીય સ્તરના કિસાન મહોત્સવને સંબોધિત કરી રહ્યા હતા. CM ગેહલોતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરેક વિભાગમાં કિસાન મહોત્સવનું આયોજન કરીને ખેડૂતોને નવી તકનીકો વિશે માહિતગાર કરવામાં આવે છે, જેથી ખેતી અને ખેડૂતોને તેનો સંપૂર્ણ લાભ મળે. તેમણે કહ્યું કે, અમારું આયોજન અને નાણાકીય વ્યવસ્થાપન ઉત્તમ છે અને વર્ષ 2030 સુધીમાં અમારું લક્ષ્ય રાજસ્થાનને દરેક ક્ષેત્રમાં નંબર વન રાજ્ય બનાવવાનું છે. CM અશોક ગેહલોતે જણાવ્‍યું હતું કે, આર્થિક વિકાસની બાબતમાં રાજસ્થાન દેશમાં બીજા ક્રમે છે. તેમણે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોમાં આપવામાં આવતી 10 યોજનાઓના લાભોથી સામાન્ય લોકોને મોટી રાહત મળી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.