સ્મૃતિ ઈરાની બોલ્યા- હું ગાંધી પરિવારની દુઃખતી નસ છું, જે દીકરાને તેમના માતા...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશના અમેઠી એટલે કે પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલ સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી. તેમણે ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ગાંધી પરિવારની દુઃખતી નસ છે. તેની સાથે જ તેમણે ભાજપ અને કોંગ્રેસની અમેઠીમાં અંતર બનાવ્યું. અમેઠીમાં થયેલા વિકાસ કર્યો બાબતે બતાવતા કહ્યું કે, ‘અહીં ઘણા પ્રકારના રોકાણ થયા છે. મેં અમેઠીની જનતાને વાયદો કર્યો હતો કે કોઈ સાંસદે પોતાના રાજનૈતિક ઇતિહાસમાં કોઈ પણ ઘર નથી બનાવ્યું.'

તેમણે કહ્યું કે, મારો સંકલ્પ પૂરો થયો કે મેં પોતાના પરિવાર માટે પોતાનું ઘર બનાવ્યું. પરિવારનો અર્થ એ નથી જેની સાથે મારો લોહીનો સંબંધ છે, તેનો અર્થ એ લોકો છે જેમણે મને પોતિકી માની છે. બોઈંગ નામની કંપનીએ સિટી સ્કેનની મશીન અમેઠીને સમર્પિત કરી છે. અહી એક સંસ્થાએ શાળાના બાળકો માટે પુસ્તકો વાંચવાની વ્યવસ્થા કરી છે. ગાંધી પરિવાર બાબતે વાત કરતા તેઓ કહે છે કે ગાંધી પરિવારનો અહી હોવાનો અર્થ અમેઠીનો ઉત્થાન ક્યારેય નહોતો. એ લોકોએ ગરીબોની ઝુંપડીઓમાં જઈને માત્ર ફોટો ખેચાવ્યા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘ગાંધી પરિવારની હું દુઃખતી નસ છું, જે દીકરાને તેમના માતા એક અલગ દૃષ્ટિકોણથી જુએ છે, એ દીકરાને મ્હાત આપનારી એક સાધારણ પરિવારની હું સ્ત્રી છું. આ વખત પણ જ્યારે હું સદનમાં બોલી તો શ્રીમતી ગાંધીએ બધાને કહ્યું કે, બોલો, તેના પર બરાડા પાડો. મેં સામે જોયું છે કે બોલો, બરાડા પાડો. મીડિયા દેખાડે છે કે સોનિયાજી ખૂબ સભ્ય છે. કેન્દ્રીય મંત્રીએ બંને પાર્ટીઓની અમેઠીમાં તુલના કરતા કહ્યું કે, આ એ લોકસભા ક્ષેત્ર છે, જ્યાં 3 વિપક્ષી રાજનૈતિક પાર્ટીઓએ ચૂંટણી લડી. તેઓ ત્રણ હતા અમે એક.’

તેમણે કહ્યું કે, વર્ષ 2019ની ચૂંટણી અગાઉ 1 લાખ 23 હજાર લોકોના ઘરોમાં ક્યારેય વીજ કનેક્શન પહોંચ્યું નહોતું. અમેઠી જેવા ગઢમાં જ્યાં કોંગ્રેસના દિગ્ગજ ચૂંટણી લડ્યા, ત્યાં એટલી સંખ્યામાં વીજળી વિનાના ઘર હતા. કોઈ એ કલ્પના કરી શકતું નહોતું કે 3 લાખ કરતા વધુ પરિવારોના ઘરોમાં પોતાના શૌચાલય નહોતા. દેશની અન્ય જગ્યાઓ પર તો કહી શકતા હતા કે હા નથી, પરંતુ અમેઠી બાબતે કોઈ એવી વિચારી પણ શકતું નહોતું કેમ કે ગાંધી પરિવાર સતત અહીથી ચૂંટણી જીત્યો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.