પુત્રના હત્યારાને જામીન પર છોડાવ્યો, પછી માથામાં 3 ગોળી મારી, માણસે લીધો 'બદલો'

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાના પુત્રની હત્યાનો બદલો લેવા માટે ભયાનક રીત અપનાવી. બદલો લેવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો. આ વ્યક્તિએ પહેલા વકીલની મદદથી પુત્રના હત્યારાને જેલમાંથી જામીન પર છોડાવ્યો, પછી તેની હત્યા કરી. પુત્રનો હત્યારો વ્યક્તિનો નજીકનો સંબંધી હતો. આ રીતે માણસે પોતાના પુત્રની હત્યાનો બદલો લીધો.

મીડિયા સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર, મિતૌલી વિસ્તારમાં 50 વર્ષીય ખેડૂતના 14 વર્ષના પુત્રની હત્યા તેની પત્ની અને નજીકના સંબંધીએ કરી હતી. શુક્રવારે રાત્રે 47 વર્ષીય શત્રુઘ્ન લાલાને માથામાં ત્રણ ગોળી વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કાશીની પત્નીએ 2021માં લાલાની મદદથી પોતાના જ પુત્ર જીતેન્દ્રની હત્યા કરી નાખી હતી. જ્યારે છોકરાએ કથિત રીતે બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. તે સમયે 50 વર્ષીય ખેડૂત એક અલગ કેસમાં જેલમાં હતો.

પોલીસે જણાવ્યું હતું કે, મહિલા અને લાલાની ત્યાર પછી સગીરની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ કાશી હંમેશા તેના પુત્રના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. એવું માનવામાં આવે છે કે, ડિસેમ્બર 2022માં જેલમાંથી બહાર આવ્યા પછી, કાશીએ લાલાની જામીન સુનિશ્ચિત કરવા માટે એક વકીલને રાખ્યો હતો. એપ્રિલના પહેલા સપ્તાહમાં લાલાને જામીન મળી ગયા અને ત્યારથી કાશી તેને મારવાની તક શોધી રહ્યો હતો.

પોલીસે કહ્યું કે તેઓએ આ કેસમાં કાશી વિરુદ્ધ પુરાવા મેળવ્યા છે. કાશી ખીરી જેલમાં બંધ હતો અને સ્થાનિક વિવાદમાં 2020ના એક હત્યા કેસમાં સહ-આરોપી હતો. વર્ષ 2021માં તેમનો 14 વર્ષનો પુત્ર જિતેન્દ્ર અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો. થોડા દિવસો પછી તેનો મૃતદેહ નદીના કિનારે પડેલો મળ્યો. પોલીસને લાગ્યું કે જિતેન્દ્રનું મૃત્યુ ડૂબી જવાથી થયું હશે, તેથી કેસ વગેરે નોંધવામાં આવ્યો નહતો.

ત્યાર પછી, કાશીની પત્ની અને લાલા વચ્ચે થોડો મતભેદ થયો અને તેણે ઓક્ટોબર 2021માં FIR દાખલ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો. તપાસ બાદ પોલીસે બંનેને જિતેન્દ્રની હત્યામાં સંડોવાયેલા હોવાનું શોધી કાઢીને જેલમાં મોકલી દીધા હતા. બીજી તરફ જેલમાં રહેલા કાશીને જ્યારે પુત્રના મૃત્યુની ખબર પડી ત્યારે તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.