BJP MLAના પુત્રએ કરી આત્મહત્યા, મિત્રને મળવા ઘરેથી નીકળ્યો હતો

ઝારખંડના ધનબાદમાં BJPના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોના પુત્ર વિવેકે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વાત રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રેની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે. વિવેકના નજીકના મિત્રો પાસેથી પણ માહિતી લેવામાં આવશે. હાલ પૂરતું આ ઘટનાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

મળતી માહિતી મુજબ, ધનબાદની સિન્દ્રી વિધાનસભા સીટના BJP ધારાસભ્ય ઈન્દ્રજીત મહતો બે વર્ષથી બીમાર છે. પરિવારે જણાવ્યું કે, રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે ઈન્દ્રજીત મહતોનો મોટો પુત્ર વિવેક મિત્રોને મળવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી જાણવા મળ્યું કે, વિવેકે સલ્ફાસની ગોળીઓ ખાધી હતી અને તેની તબિયત બગડી હતી. પરિવારે તરત જ વિવેકને રાંચીની મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યો. જોકે, તબિયતમાં સુધારો ન થતાં સોમવારે સવારે વિવેકનું મોત થયું હતું.

ઘટનાના સંબંધમાં, પરિવારના સભ્યોએ જણાવ્યું કે, વિવેક રવિવારે રાત્રે રાંચીના સિલ્લી ગ્રામીણ વિસ્તારમાં સ્થિત પોલિટેકનિક કોલેજમાં તેના મિત્રને મળવાનું કહીને બહાર ગયો હતો. તે પછી, તેમને સલ્ફા ખાવા વિશે ખબર પડી.

કહેવામાં આવ્યું હતું કે, વિવેકના પિતા BJP ધારાસભ્ય ઈન્દ્રજીત છેલ્લા બે વર્ષથી ગંભીર રીતે બીમાર છે. વર્ષ 2021માં તેમને કોરોના થયો હતો. ત્યારથી ધારાસભ્યની હાલત સારી નથી. મહાતોને કોરોના પછીની અસરને કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેની સારવાર ચાલી રહી છે.

વિવેકના મૃત્યુ પર BJP નેતા નિતાઈ રાજવારે જણાવ્યું કે, વિવેક તેના પિતા ઈન્દ્રજીતની લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે ડિપ્રેશનમાં હતો. આ સિવાય તે પોતાના અભ્યાસને લઈને પણ તણાવમાં હતો. થોડા દિવસો પહેલા તે દિલ્હીમાં B.Techની પરીક્ષા આપીને રાંચી પહોંચ્યો હતો.

ઘટનાની જાણકારી મળ્યા બાદ, BJP ધારાસભ્ય સમરી લાલ અને JMMના ધારાસભ્ય મથુરા પ્રસાદ મહતો રાંચીના રિમ્સ પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચ્યા અને મામલાની પૂછપરછ કરી. જ્યારે, BJP નેતા બાબુલાલ મરાંડીએ પણ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. વિવેકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ગ્રામીણ SP નૌશાદ આલમે જણાવ્યું કે, ઘટના અંગે માહિતી લેવામાં આવી રહી છે. પરિવારના સભ્યો સહિત અન્ય પરિચિતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃત્યુનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.