બનારસમાં ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર રખાયા, જુઓ વીડિયો

ટામેટાના ભાવ હાલ આસમાને ચાલી રહ્યા છે. વારાણસી સહીત દેશના કેટલાક શહેરોમાં ટામેટાનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઇ ગયો છે. થોડા દિવસ પહેલા સુધી ટામેટાના ભાવ 15થી 20 રૂપિયા પ્રતિ કિલો હતા જે જુલાઇ મહિનાના પહેલા દિવસથી જ વધી રહ્યા છે. વારાણસીમાં ટામેટા 120થી 150 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. તેને જોતા જ લંકા ક્ષેત્રના નગવાંમાં શાકભાજી વેચનારા સપા કાર્યકર્તા અજય ફૌજીએ વિરોધ વ્યક્ત કરતા પોતાની દુકાન પર બાઉન્સર રાખ્યા છે અને પોસ્ટર પણ લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે, પહેલા પૈસા પછી ટામેટા, મહેરબાની કરી ટામેટાને ન અડકો.

આ વાત શાકભાજી વેચનારા અજય ફૌજીએ કહી કે, ટામેટા ઘણા મોઘા થઇ ગયા છે. મોંઘવારીના મારમાં લોકો 100 અને 50 ગ્રામ લઇ રહ્યા છે. કેટલીક જગ્યા પરથી સૂચના મળી છે કે, ટામેટાને લઇને મારામારી થઇ રહી છે. તો ક્યાંક ટામેટાની લૂંટ થઇ રહી છે. દરેક જગ્યા પર ટામેટાના કારણે વિવાદની સ્થિતિ જોવા મળી છે.

વિવાદથી બચવા માટે દુકાન પર પોતાની અને ટામેટાની સુરક્ષા માટે સપાના કાર્યકર્તાએ બે બાઉન્સર રાખ્યા છે. જ્યારે, બધા ટામેટા વેચાઇ જશે ત્યારે જ બાઉન્સરને જવાની રજા મળશે. દુકાનની બહાર બાઉન્સર ઉભા છે. કોઇપણ ગ્રાહક જ્યારે, શાકભાજીને હાથમાં લઇને મોલભાવ કરે છે તો બાઉન્સર તેને રોકી લે છે અને કહે છે કે, તમને જે જોઇએ તે માગીને લો. પહેલા પૈસા આપો અને પછી ટામેટા લો. ત્યાં હાજર કેટલાક લોકોએ કહ્યું કે, આ શાકભાજી વેચનારો સપાનો કાર્યકર્તા છે. તેના કારણે તે મોંઘવારીનો આ પ્રકારે વિરોધ કરીને ચર્ચામાં આવવા માગે છે. હવે આ દુકાનદારની ચર્ચા આખા શહેરમાં થવા લાગી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.