કાશ્મીર વિશે વાત કરતા ગાયક અનૂપ જલોટાએ કહ્યું- ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો

સિંગર અનૂપ જલોટા પણ હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. જલોટાએ કહ્યું છે કે, દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. તેનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જલોટાએ આની પાછળ પાકિસ્તાનનો તર્ક આપ્યો છે. તેઓ કહે છે કે, જ્યારે વિભાજન બાદ મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો, તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં નથી આવતું.

જલોટાએ કહ્યું કે, ભાગલા પછી પાકિસ્તાનમાં મુસ્લિમોની બહુમતી હતી તેથી ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું. ભારતમાં હિંદુઓ બહુમતી છે તેથી તેને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. ભાગલા સમયે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર ન કરી શકાયું તો હવે કરવું જોઈએ. તેમણે કહ્યું કે, દુનિયામાં એક પણ હિન્દુ રાષ્ટ્ર નથી. નેપાળ હતું, પણ હવે તે પણ તેમણે જાળવ્યું નહીં. હવે તેને પણ હિંદુ દેશ ન કહી શકાય.

તેમણે કહ્યું, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ, કારણ કે અહીં હિન્દુઓની સંખ્યા વધુ છે. હવે તેની લહેર ખૂબ જ મજબૂત છે. તેનાથી કોઈને કોઈ ફરક નહીં પડે, માત્ર જાહેરાત કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં શું થયું. લોકો હવે કોઈપણ રીતે શાંતિથી જીવી રહ્યા છે. આતંકવાદી હુમલા પહેલા કરતા ઓછા થયા છે. જો તમે જુઓ તો આ બધું સારા માટે જ થઈ રહ્યું છે. હું માત્ર મત આપી શકું છું. મેં મારો અભિપ્રાય આપ્યો છે.

વધુ વાયરલ વીડિયોમાં તે કાશ્મીરમાં શું થયું તે કહેતા સંભળાય છે. કલમ 370 હટાવવામાં આવી, જેનો ઘણો ફાયદો થયો. હવે ત્યાં પહેલા કરતા આતંકવાદી ઘટનાઓ ઓછી થઇ રહી છે. શાંતિ સ્થાપવા માટે આ એક પગલું હતું. તેમણે કહ્યું કે આ રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. આ માત્ર એક જાહેરાત છે, તેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં પડે.

જાણીતા ભજન ગાયક અને પદ્મશ્રી અનૂપ જલોટા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગ્વાલિયર પહોંચ્યા હતા. તેણે કહ્યું કે, તાનસેનનું શહેર ગ્વાલિયર આવવું સારું લાગ્યું, મને અહીં રિયાઝ કરવાનું મન થાય છે. આજે તુલસીદાસની પ્રતિમાને નમન કર્યું, ખૂબ ગમ્યું.

અહીં તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ જાહેર મંચો પરથી હિન્દુ રાષ્ટ્રની માંગને ઘણી વખત રિપીટ કરી છે. બીજી તરફ 18 ફેબ્રુઆરીથી VHP અને RSS સંગઠનો છત્તીસગઢમાં સંયુક્ત યાત્રા કાઢી રહ્યા છે. તેના દ્વારા તેઓ હિન્દુ રાષ્ટ્રની માંગ કરશે. આમાં શંકરાચાર્ય પણ ભાગ લેશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.