જીસે ભી ચાહો હરામ કહ દો, જીસે ભી ચાહો હલાલ કર દો: નરોડા ચુકાદા પર ઔવેસી

અમદાવાદની એક સ્પેશિયલ કોર્ટે નરોડા ગામ રમખાણ કેસના બધા આરોપીઓને ગુરુવારે નિર્દોષ  છોડી દીધા હતા. આ રમખાણમાં 11 લોકોના મોત થયા હતા. ઘટનના 21 વર્ષ પછી 20 એપ્રિલ 2023ના દિવસે વિશેષ અદાલતના જજ શુભાદા કૃષ્ણકાંત બક્શીએ પૂર્વ મંત્રી માયા કોડનાની અને બાબુ બજરંગી સહિતના બધા આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવાનો આદેશ કર્યો હતો.

એ પછી  AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે, જીસે ભી ચાહો હરામ કહ દો, જીસેભી ચાહો હલાલ કર દો.

ઔવેસીએ પોતાના ટ્વીટમાં જાણીતા શાયર રાહત ઇંદોરીની એક કલામ લખી છે.

"जिधर से गुज़रो धुआं बिछा दो, जहां भी पहुंचो धमाल कर दो.
तुम्हें सियासत ने हक दिया है,
हरी जमीनों को लाल कर दो.
अपील भी तुम, दलील भी तुम, गवाह भी तुम, वकील भी तुम.
जिसे भी चाहो हराम कह दो,
जिसे भी चाहो हलाल कर दो..."

કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસની નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, "28 ફેબ્રુઆરી 2002 ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં, આજે ગુજરાત કોર્ટે માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.તો હવે માની લઈએ કે ત્યાં કોઈ નરસંહાર થયો જ નહોતો, કોઈ 11 લોકોને જીવતા સળગાવવામાં આવ્યા જ નહોતા, કદાચ તેઓ જીવતા હોવાનો ઢોંગ કરતા હશે.

નરોડા ગામ રમખાણ કેસની સુનાવણી વર્ષ 2009માં થઇ હતી. ટ્રાયલ દરમિયાન 86માંથી 17 આરોપીઓના મોત થયા હતા. બાકીના જે 69 બચ્યા હતા તેમને ગુરુવારે વિશેષ અદાલતે નિર્દોષ છોડી મુક્યા. ટ્રાયલ દરમિયાન 182 લોકોની પુછપરછ કરવામાં આવી હતી અને 57 ઘટનાને નજરે જોનારા લોકોના નિવેદન લેવાયા હતા. 13 વર્ષથી ચાલી રહેલા કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ષ 2017માં માયા કોડનાની બચાવમાં કોર્ટમાં હાજર થયા હતા.

વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીએ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા સળગાવી દેવાની ઘટનાના બીજે દિવસે ગુજરાતમાં રમખાણ ફાટી નિકળ્યા હતા. 28 ફેબ્રુઆરી 2002ના દિવસે સવારે નરોડા ગામમાં હિંસા થઇ હતી અને 11 લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના હતી. માયા કોડનાની પર આક્ષેપ હતો કે તેમણે ટોળાને ઉશ્કેર્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.