મળ્યો પાણીમાં તરતો પથ્થર? ગામના લોકો કરવા લાગ્યા પૂજા? જાણો કેવી રીતે તરે છે

ત્રેતા યુગમાં રામયણકાળ દરમિયાન પાણીમાં તરતા પથ્થર બાબતે તમે સાંભળ્યું હશે, પરંતુ આજના સમયમાં પણ એક એવો પથ્થર મળ્યો છે, જે પાણીમાં તરી રહ્યો છે. આ તરતો પથ્થર સુરજપુર જિલ્લાના રાજાપુર ગામમાં મળ્યો છે. એક યુવક નદીમાં નાહવા ગયો હતો, ત્યારબાદ તેને નદીમાં તરતો પથ્થર દેખાડ્યો. ત્યારબાદ તેણે આ વાત ગ્રામજનોને જણાવી, ત્યારબાદ ગ્રામજનોએ પથ્થરને જોવા ગયા. લોકોને જ્યારે આ ચમત્કારિક પથ્થર બાબતે જાણકારી મળી તો તેને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ.

આમ આ જિલ્લામાં ભગવાન રામના વનવાસના ઘણા પૌરાણિક સ્થળ આવેલા છે. એવામાં ભગવાન રામની આસ્થા પણ અહીં ચરમ પર છે, પરંતુ તરતો પથ્થર મળ્યા બાદ તો આખું ગામ રામની ભક્તિમાં લીન થઈ ગયું છે. એવું નથી કે માત્ર રાજાપુર ગામ કે સૂરજપુર જિલ્લાનાઆ લોકો આ ચમત્કારિક પથ્થરને લઈને ઉત્સાહિત, આનંદિત છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના લોકો આ પથ્થરના દર્શન માટે આવી રહ્યા છે. લોકો આ પથ્થરના દર્શન સાથે સાથે તેની તસવીર પણ ખેચવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે.

ગ્રામજનોના હાથમાં પથ્થરને જોઈને હેરાન રહી ગયા. ત્યારબાદ લોકોએ ત્યાં જ એક મોટા ડ્રમમાં પાણી ભરીને જ્યારે પથ્થરને નાખ્યો તો તે પાણીમાં ડૂબવાની જગ્યાએ ઉપર આવી ગયો. પથ્થરને જેટલી વખત પાણીની અંદર ધક્કો આપ્યો, તે ઉપર આવતો રહ્યો. ગ્રામજનોએ જણાવ્યું કે, પંડિતજીને જ્યારે ઉપરોક્ત પથ્થરને દેખાડ્યો તો તેમણે કહ્યું કે, તે પથ્થર રામ  સેતુનો છે, જે નદીમાં વહેતો અહી સુધી આવી ગયો છે. આ તો છે આસ્થાની વાત, પરંતુ પથ્થરો પાણી પર તરવાના કેટલાક વૈજ્ઞાનિક કારણ અને કેટલાક કારણો છે. આવો અમે આ આર્ટિકલમાં એ બાબતે પણ અવગત કરાવીએ.

પથ્થરનું તરવું ચમત્કારિક નથી!

પાણી પર તરતા પથ્થરને PUMICE STONE કહેવાય છે.

આ પથ્થર જ્વાળામુખીના લાવાથી બને છે.

લાવા જ્યારે ઠંડા થાય છે તો આ પથ્થર બને છે.

ઘનત્વ ઓછું હોય છે અને હજારો કાણાં હોય છે.

આ કાણાંમાં હવા ભરાયેલી રહે છે, હલકા હોય છે. સ્પંજ કે ડબલ રોટલી જેવા દેખાય છે આ પથ્થર

રામેશ્વરમ અને મહારાષ્ટ્રમાં પણ મળે છે આ પથ્થર.

ન્યૂઝીલેન્ડ, ફીઝી, ન્યૂ સેલોડોનિયા અને ક્ચિન્સલેન્ડમાં પણ ઉપસ્થિત છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.