BJPની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો, પાર્ટી કહે- કોંગ્રેસીઓએ ઝાડ પાછળથી માર્યા

મધ્ય પ્રદેશના નીમચમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જન આશીર્વાદ યાત્રા પર હુમલો થઈ ગયો. 5 સપ્ટેમ્બરની રાત્રે ભાજપની જન આશીર્વાદ યાત્રા મંદસૌર પહોંચવાની હતી. ત્યારે અહી અચાનક પથ્થરમારો થવા લાગ્યો. આ દરમિયાન કેટલીક ગાડીઓના કાંચ તૂટ્યા. યાત્રામાં ભાજપના ઘણા નેતા સામેલ હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, પથ્થરમારો કોંગ્રેસ પાર્ટીના લોકોએ કર્યો છે. કોઈ ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી નથી.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, આ ઘટના નીમચના રામપુર ક્ષેત્રના રાઉલી કુંડી ગામની છે. 5 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 08:00 વાગ્યે યાત્રામાં સામેલ લોકો પર પથ્થર ચાલવા લાગ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના લોકો ઝાડ પાછળ છૂપાયેલા હતા અને તેમણે જ પથ્થરમારો કર્યો. તેમણે એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, ‘જન આશીર્વાદ યાત્રાને મળી રહેલા અપાર સમર્થનથી ગભરાયેલા કોંગ્રેસીઓએ નીમચમાં યાત્રા પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી છે.

તેમણે આગળ લખ્યું કે, ‘હું કોંગ્રેસની હરકતની સખત નિંદા કરું છું. આ ગુંડાઓને અમે જરાય નહીં છોડીએ. તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.’ આ બાબતે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કે, ‘શિવરાજની અવસરવાદ યાત્રા વિરુદ્ધ ગુસ્સો વધતો જઈ રહ્યો છે. પાપનો ઘડો ભરાઈ ગયો છે. અમે હિંસાના જરાય પક્ષધર નથી, પરંતુ આક્રોશિત યુવાઓ અને મહિલાઓને પોલીસના દંડાથી મારવા, દબાવવા યોગ્ય નથી.

મારી મધ્ય પ્રદેશના 8.5 કરોડ સાથીઓને વિનમ્ર અનુરોધ છે કે માત્ર વોટોના ઠેસથી ભાજપને પાઠ ભણાવે. મારું શ્રીમાન શિવરાજ જીને અનુરોધ છે કે મોટા ભાગે જનતાના વિરોધને જોતા કંઈક શીખ લે અને અવસરવાદ યાત્રાને તાત્કાલિક સમાપ્ત કરી દે, જેથી રાજ્યની શાંતિ ભંગ ન થાય.’ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, યાત્રા પર પથ્થરમારો ત્યાંના ગ્રામજનોએ કર્યો હોય શકે છે. આ લોકો ચિતા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.

ચિત્તા પ્રોજેક્ટથી શું પરેશાની?

કૂનો નેશનલ પાર્ક બાદ હવે ચિત્તાઓનું નવું સ્થળ મંદસૌરની ગાંધીસાગર વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં પ્રસ્તાવિત છે. ત્યાં સીમા નજીકના વિસ્તારમાં જમીન સંપાદન કરીને ચિત્તાઓ માટે વાડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આરોપ છે કે, વાડાઓ માટે કરવામાં આવી રહેલી વાયર ફેન્સિંગમાં પશુઓ માટેના ગૌચર આવી રહ્યા છે. આ વાતને લઈને ગત દિવસોમાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ જન આશીર્વાદ યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી. યાત્રાની શરૂઆત 6 સપ્ટેમ્બરે અને પૂર્ણાહુતિ 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે. 17 દિવસોમાં આ યાત્રા માલવા-નિમાડની 42 વિધાનસભા સીટોથી થતી લગભગ 2,000 કિલોમીટર ચાલશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.