જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, તે ભગવાન શિવનું મંદિર છે:ધીરેન્દ્ર શાસ્ત્રી

બાબા બાગેશ્વર હાલમાં છિંદવાડામાં કથા-વાચન કરી રહ્યા છે. તેમણે જ્ઞાનવાપી કેસમાં મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, જ્ઞાનવાપી એ મસ્જિદ નથી, આવું કહેવાનું બંધ કરો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે. એ જ રીતે, બાબા બાગેશ્વરે નૂહ હિંસા પર પણ કહ્યું, 'આ દેશની કમનસીબી છે કે સનાતની હિંદુઓ આ પ્રકારનું કામ જોઈ રહ્યા છે અને તે થઈ રહ્યું છે, તેથી જ, હવે ઊંઘમાંથી જાગો.'

હકીકતમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્ઞાનવાપી પર ચાલી રહેલા સર્વે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'જ્ઞાનવાપી એ મસ્જિદ નથી. સૌ પ્રથમ તો એ કહેવાનું બંધ કરો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને UPના CM યોગી આદિત્યનાથના શબ્દો યાદ આવ્યા. CM યોગી આદિત્યનાથે હાલમાં જ જ્ઞાનવાપીને મસ્જિદ કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

કમલનાથના ગઢ છિંદવાડામાં કમલનાથ અને નકુલ નાથ દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી કથા અંગે બાગેશ્વર બાબાએ કહ્યું કે, 'છિંદવાડામાં આવીને આનંદ થયો, અમે હંમેશા દરેક જગ્યાએ જઈએ છીએ. સનાતન દરેકનું છે, અમે કોઈ રાજકીય વ્યક્તિ નથી, અમને તેનાથી દૂર જ રાખવા જોઈએ. આપણે જ્ઞાતિ પ્રથાને ખતમ કરીને બધાને સાથે લાવીશું. અમને રાજકારણથી દૂર જ રાખવા જોઈએ, કમલનાથજી ધામમાં પણ ગયા હતા, અમારા માટે બધા સમાન છે, આખી દુનિયા સમાન છે. જે બાલાજીના છે તે અમારા છે, જે અમારા રામના છે તે અમારા છે, અમારો સંકલ્પ પૂરો થઇ રહ્યો છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ પહેલેથી જ ખુલ્લેઆમ બોલી ચૂક્યા છે કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. તેઓ આ દિશામાં કામ પણ કરી રહ્યા છે.

કથા વાંચન માટે છિંદવાડા પહોંચેલા બાબા બાગેશ્વર પૂર્વ CM કમલનાથના બંગલે પણ ગયા હતા. જ્યારે, કમલનાથ તેમના પરિવાર સાથે બાબા બાગેશ્વરના કથા મંચ પર પહોંચ્યા હતા. ચૂંટણી વર્ષમાં કમલનાથે બાગેશ્વર બાબાના મંચ પર બાગેશ્વર ધામની કથાનું આયોજન કરીને એક સાથે અનેક નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં જ કોંગ્રેસે બે કમિટીની જાહેરાત કરી છે, જેમાં કમલનાથની સાથે નકુલનાથને પણ સ્થાન મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કમલનાથ હવે ખુલ્લેઆમ પોતાના પુત્રને પ્રમોટ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.